चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ वरवड़ी – दूसरे

माँ वरवड़ी – दूसरे

पूरा नाममाँ वरवड़ी
माता पिता का नाम 
जन्म व जन्म स्थान 
स्वधामगमन
 
विविध
माँ वरवड़ी – ”दूसरे” कच्छ जिले के भचाऊ के पास खोड़ासर गाँव मे नरा शाखा की उपशाखा गोखरू में जन्म हुआ। इनका विवाह हलवद विस्तार के खोड़ गाँव मे मारू शाखा की उपशाखा देथा शाखा में हुआ। रा’नवघण चतुर्थ के समकालीन 1345 से 1425 बीच।

 जीवन परिचय

माँ वरवड़ी- ”दूसरे” कच्छ जिले के भचाऊ के पास खोड़ासर गाँव मे नरा शाखा की उपशाखा गोखरू में जन्म हुआ। इनका विवाह हलवद विस्तार के खोड़ गाँव मे मारू शाखा की उपशाखा देथा शाखा में हुआ। रा’नवघण चतुर्थ के समकालीन 1345 से 1425 बीच।

આઇ વરવડી – બીજાં – આઈ વરવડી પહેલાંની જેમજ આઈ વરવડી બીજાંનો જન્મ પણ કચ્છના ભચાઉ તાલુકાના ખોડાસર ગામે થએલો. તેઓ પણ નરા શાખાની પેટા શાખા ગોખરૂમાં જન્મેલાં. એમના પિતાનું નામ ચોક્કશ જાણવામાં નથી આવ્યું. પણ લોકોનું માનવું છે કે, એમનું નામ પણ આઈ વરવડી પહેલાંના પિતાની જેમ ચંખડોજી હતું. આઈ વરવડી પહેલાં ખૂબ પ્રતાપી થએલાં એટલે એમની સ્મૃતિ – યાદી તરીકે આમનું નામ પણ વરવડી રાખવામાં આવેલું. એમનાં લગ્ન ઝાલાવાડમાં રણ કાંઠે હળવદ તાલુકાના ખોડ નામે ગામના મારૂ શાખાની પેટાશાખ દેથા શાખના ચારણોમાં થએલાં. એમના પતિ તથા એમના પુત્ર બારૂ દેથો મોટા પાયા પર ઘોડા, બળદો, અનાજ, કરીયાણાનો વેપાર તથા માલની હેર ફેર (ટ્રાન્સ્પોર્ટ) નો વ્યવસાય કરતા. એમને ઘરે લાખોની સંપત્તિ હતી. એમને પિતાને આઈ વરવડી પહેલાંનું ઈષ્ટ હતું, પોતે એમનાં ભક્ત-ઉપાસક હતાં પોતે બહુ ઉદાર અને આતિવ્યમાં આઈ વરવડી પહેલાંની બીજી આવૃત્તિ સમાન હતા. ખૂબ દીર્ઘદશી, મોટા મનવાળાં, કરૂણાના સાગર સમાન દયાળુ હતાં. મનુષ્યો તેમને આઈ વરવડી પહેલાંને અવતારજ માનતાં. એમનાં દર્શન માટે અનેક ભક્તો ઉપાસકો દરરોજ એમને ત્યાં આવતાં રહેતાં. અને આઈ વરવડી પહેલાંની જેમ તેઓ પણ સૌને પ્રેમ પૂર્વક જમાડવામાં પ્રસન્નતા અનુભવતાં, એટલે ‘અન્નપૂર્ણા’ નું બિરદ પામેલાં. અન્નપૂર્ણા વરવડી તરિકે એમની કીર્તિ ખૂબ પ્રસરેલી. ધર્મ’ નિયમતા પાલનમાં એ પોતે સદા તત્પર અને કડક હતાં. સાથે સાથે ખૂબ સાદાં-સરળ હતાં. બીજાનાં દુઃખ જોઈને એ દ્રવી પડતાં, તેમને અન્ન ધનની મદદ કરતાં, આશ્વાસન, સલાહ, પ્રેમ આપતાં.

આઈ વરવડી બીજાં મેવાડના મહારાણા હમીર અને જૂનાગઢના રા’નવઘણ ૪ થાનાં સમકાલીન હતાં. રા’નવઘણ ૪ થો વિ.સં. ૧૩૬૩ લગભગ થઈ ગયો. અને મહારાણો હમીર વિ. સં. ૧૩૯૦ થી ૧૪૨૧ સુધી ચિત્તોડની ગાદી પર હતો. અને આઈ વરવડીની સહાયથી જ ચિત્તોડનું રાજય મેળવી શકયો હતો. આઈ વરવડી બીજાનો જીવન કાળ સં. ૧૩૪૫ થી સં. ૧૪૨૫ સુધીને છે.

મેવાડના મહારાણા લક્ષ્મણસિંહ પર દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરી અને લક્ષ્મણુ સિંહ તથા તેમના ૧૨ પુત્રો પૈકી ૧૧ પુત્રો ઊપરા ઊપરી ૧૨ દિવસ સુધી કેશરિયાં કરી ૧૪૦૦૦ રાજપૂતો સાથે વીર ગતિને પામ્યા તથા સતી પદ્મિની સાથે ૧૪૦૦૦ રાજપૂતાણીઓ ચિત્તોડના કિલ્લામાં જૌહર (જમ્હર) બળી-જીવતાં અગ્નિ સ્નાન કરી સતી થઈ. અને મેવાડનું રાજ્ય અલ્લાઉદ્દીનના કબ્જામાં ગયું. એ કેશરિયાં કરવા પહેલાં લક્ષ્મણસિંહે પોતાના બીજા પુત્ર અજયસિંહ અને મોટા પાટવી પુત્ર અરિસિંહના બાળપુત્ર હમીરસિંહને વંશવેલાની રક્ષા માટે ગુપ્ત રીતે ચિત્તોડમાંથી આડાવળા (અરવલ્લી) ના પહાડોમાં મોકલી આપેલા. એ અજયસિંહ પોતાના ભત્રીજા હમીરસિંહ સાથે ગુપ્ત વૈશથી (કહેવાય છે કે) સીશોદા ગામમાં રહેતા હતા. હમીરસિંહ જુવાન થયા ત્યાં અજયસિંહનો સ્વર્ગવાસ થયો એટલે હમીરસિંહનો કોઈ ખાસ આધાર ન રહ્યો. અધૂરામાં પૂરૂં દેવજોગે હમીરસિંહને કોઢનું દર્દ થયું. ગએલું રાજ્ય પાછું મેળવવાનું કોઈ આશા કિરણ દેખાતું ન હતું. આર્થિક વિટ બણાઓએ પણ ઘેરા ઘાલેલો અને વધારામાં કોઢનું દર્દ થયું, એટલે ચારે બાજુ નિરાશાથી ઘેરાએલા હમીરસિંહ દ્વારકાધીશનાં દર્શન કરીને સમુદ્રસમાધિ લઈ દેહ પાડી નાખવાનું મનોમન નક્કી કર્યુ” અને પોતાના વિશ્વાસુ સાથીદારો સાથે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું”.

ગુજરાતમાં પ્રવેશ કરતાં જ તેમણે ગામેગામ જગદંબા અન્નપૂર્ણનો અવતાર એવાં આઈ વરવડીની દૈવી શક્તિનાં ગુણગાન સાંભળ્યાં. એટલે દર્શન કરવા માટે તે ખોડ આવ્યા. આઈનાં દર્શન કર્યાં અને આઈએ પૂછવાથી પિતાની દુ:ખ ગાથા સંભળાવી દ્વારકાધીશનાં દર્શન કરીને સમુદ્રસમાધિ લેવાની પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી. બાપા રાવળના પ્રતાપી વંશની આવી કરૂણ રીતે સમાપ્તિ થવાની કથની સાંભળીને આઈ વરવડીનું હૃદય અનુક˚પાથી ભરાઈ ગયું. પોતે આંખો મીચી જરાવાર ધ્યાનસ્થ થઈ ગયાં. પછી હમીર સિંહના મસ્તક પર હાથ ફેરવ્યો. આશ્વાસન આપ્યું અને રોકાઈ જવાનું કહ્યું.— રોક્યો અને માતાજીના હવનની વિભૂતિ સાથે દવા આપી. તેના ચાર દિવસના સેવનથી કોટ ઘટવા-હટવા લાગ્યો. બીજા ચાર દિવસમાં કોઢ અર્ધો થઈ ગયો. બાદ આઈએ મહારાણાને કહ્યું કે, “રાણા ! આ દવાથી એક માસમાં તારો કોઢ નાબૂદ થઈ જશે. માટે તારે નિરાશ થવાનું નથી. અને સમુદ્રસમાધિ લેવાની પણ જરૂર નથી. આત્મઘાત કરવો એ તો નબળાઈની નિશાની છે. વીરવંશમાં તારો જન્મ છે. વીર દુઃખનો સામનો કરે, નાસીપાસ ન થાય. માટે તું નબળાઈને ખંખેરી નાખ અને પુરુષાર્થમાં લાગી જા. મારું મન કહે છે કે તારો વિજય થશે. તું ચોક્કસ ચિત્તોડનો મહારાણો થઈશ.” ઉત્તરમાં મહારાણાએ કહ્યું કે “માતાજી ! આપ કહો છો તે બરોબર છે. પણ મારી પાસે માણસો નથી, ઘોડા નથી, સાધન સામગ્રી નથી. હથિયાર નથી. અને એ બધું મેળવવા માટે ધન જોઈએ, તે ધન નથી. એટલે મારા એકલાના પુરૂષાર્ય’થી સફળતા કેવી રીતે મળે તે મને સમજાતું નથી.” આઈએ તુરત જ કહ્યું કે “બાપ રાણા ! તારે ધન જોઈએ, જે સાધન જોઈએ તેની સગવડ હું કરી આપીશ. માતાજી તારી ભેરે રહેશે. તારે ધન જોઈએ તે બધું માતાજી આપશે. તેનાથી કૈં માણસોની જમાવટ કર અને હથિયાર ભેગાં કર. અને મારો પુત્ર બારૂ ઘોડા ખરીદવા ગયો છે તે ૫૦૦ ઘોડા તને મોકલી આપીશ. અને ધનની મુશ્કેલી પણ તને નહિ પડવા દઉં. એ ઘોડાંઓની ભેળું ધન પણ તને મળી જશે.” આઈનાં એ વેળ સાંભળીને મહારાણો હમીર લાકડીની જેમ આઈના ચરણોમાં પડી ગયો. આંખોમાંથી હર્ષ અને ઉપકાર ભારનાં આંસુ વરસવા લાગ્યાં. ઘણીવાર પછી બેઠો થયો. બન્ને હાથ જોડી ગદગદ સ્વરે બોલ્યો કે “મા ! માં ! આપની દયાનો પાર નથી. પણ આપની પાસેથી આવી રીતે ધન મેળવવું એ મારે માટે યોગ્ય નથી.” મારે તે આપને ચરણે કંઈક ધરવું જોઈએ. અને મૂલ્ય આપ્યા વિના ઘોડા લેવા એ પણ યોગ્ય નથી જ. આઈએ ઉત્તર આપ્યો કે— “રાણા ! આ હું નથી આપતી. આ તો જગદંબા માતાજી આપે છે અને તે પણ તને હમીરને તારાં અમનચેન માટે આપતાં નથી. પણ ધર્મની ધજાને ટકાવી રાખવા માટે, ચિત્તોડના સૂર્યવંશની રક્ષા માટે આપે છે. માટે તારે તેનો સ્વીકાર કરવાનો જ હોય. અને તારો દિવસ વળે અને ચિત્તોડ-મેવાડ તારે ઘરે આવે, તો ઘોડાંનું મૂલ્ય જે ઠીક લાગે તે ચૂકવી દેજે.” આઈનાં એ વેણ સાંભળીને મહારાણા હમીરનું હૈયું ભરાઈ આવ્યું. મહામના આઈ વરવડી તેને વિશ્વેશ્વરી જગદંબા સ્વરૂપે દેખાયાં. ચારણ આઈઓ – માતાજીઓના મહિમાનું સ્મરણ મન પર છવાઈ જવાથી થોડી વાર બોલી ન શકાયું. પછી કહ્યું કે “મા! જગદંબા ! આપનો મહિમા અપાર છે. આપનો ઉપકાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. આપના ઉપકારનો બદલો અમારી પેઢીઓની પેઢીઓ પણ નહિ વાળી શકે.” આટલું બોલી રાણા હમીરે ફરીને આઈના ચરણોમાં મસ્તક મૂક્યું. આઈએ તેના મસ્તક પર વાત્સલ્ય ભરપૂર હાથ મૂક્યો, મસ્તક પર હાથ ફેરવ્યો ત્યાં તો રાણા હમીરના શરીરમાં વીજળીએ પ્રવેશ કર્યો હોય તેવી ઝણઝણાટી વ્યાપી ગઈ અને કોઢનું દર્દ અને દુઃખ વિદાય લેવા લાગ્યાં. આઈએ તેને ખૂબ આગ્રહપૂર્વક બીજા આઠ દિવસ રોક્યો. ત્યાં તેનો કોઢ સાવ મટી ગયો. અને તેણે આઈના શુભાશિષ સાથે મેવાડ તરફ ગમન કર્યુ.

થોડા દિવસ પછી આઈના પુત્ર બારૂજી ઘોડા લઈને આવી જતાં તેમણે આઈની આજ્ઞા મુજબ ૫૦૦ જાતવંત ઘેડા મેવાડમાં રાણા હમીરને પહોંચાડયા. અને તે સાથે લાખો રૂપિયા પણ પહોંચતા કર્યાં. એ દ્રવ્યમાંથી રાણા હમીરે, રાજપૂતોની સેના જમાવી, તેના સરદારો પણ આવી મળ્યા. એટલે તેણે દુશ્મનોનાં થાણા પર છાપા મારી મુલક ઘરે કરવા માંડયો. ચિત્તોડમાં એ વખતે દિલ્હીની સલ્તનત તરફથી સૂબા તરીકે જાળારનો ચૌહાણ માલદેવ હતો. ચિત્તોડનો અભેદ્ય કિલ્લો કોઈ જેવો તેવો કબ્જે કરી શકે તેમ ન હતું. એટલે તે બાબતમાં નિશ્ચિંતતા હોવાથી ત્યાંતો વહીવટ પોતાના એક શૂરવીર કુશળ વણિક કાર – ભારી હસ્તક રાખીને માલદેવ પોતે પોતાના જાળોરના રાજ્યનો વહીવટ સંભાળતો અને અવારનવાર ચિત્તોડ આવી ત્યાં રહી જતો. દરમિયાન એક ચિત્તોડ સિવાયના મેવાડના ઘણા મોટા પ્રદેશ પર રાણા હમીરે ધીરે ધીરે કબજે મેળવી લઈને પોતાનું સ્થાન ખૂબ મજબૂત બનાવ્યું. સૈન્ય બળ પણ ખૂબ વધાર્યુ”. નાની નાની લડાઈઓ, હમકલાં ચાલુ જ હતાં, તેથી માલદેવની મૂંઝવણ વધી પડી. ખુલા યુદ્ધમાં પોતાનો પરાજય થવાની તેને બીક લાગી. એ સંજોગોમાં રાણા હમીરે રાજકીય ચાલ ચાલીને માલદેવની કન્યાનું માગું મોકલ્યું. મેવાડના મહારાણાના કુટુંબ સાથે સંબંધ બંધાય, એ ગૌરવની વાત ચણાય એમ સમજીને માલદેવે તે માગણી સ્વીકારી, વળી તેને મન એમ પણ ખરું’ કે સબંધ બંધાવાથી હમીર શાંતિ પકડશે. ધામધૂમથી મહારાણા હમીરનાં માલદેવની કન્યા સાથે લગ્ન થયાં અને કન્યાના સૂચનથી હમીરે માલદેવ પાસેથી તેના ચિત્તોડના કિલ્લેદાર વણિક કામદારને માંગી લીધો અને એ કામદારે યુક્તિ લડાવી હમીરને ચિત્તોડને કબ્જો અપાવ્યાની વાત ઈતિહાસ પ્રસિદ્ધ છે. દરમિયાન દિલ્હીમાંથી ખીલજીઓની સત્તા ઉખડી ગઈ હતી અને તુગલકવ’શીએ દિલ્હીપતિ થયેલા. પણ ચિત્તોડ પાછું જીતી લેવાનો તેમને ખાસ ઉત્સાહ ન હતો. એટલે મહારાણા હમીર આખું મેવાડ કબ્જે કર્યું. અને પોતે ચિત્તોડમાં સારી રીતે સ્થિર થયા. પછી તુરત જ આઈ વરવડી તથા તેમના પુત્ર બારૂજી અને કુટુંબીજનોને સૌરાષ્ટ્રમાંથી ચિત્તોડ બોલાવી લીધાં. આઈમાંનું તથા બારૂજીનું સમ્રાટોને છાજતું સામૈયું-સન્માન કયું. અને આઈને ચરણે મેવાડનું રાજ્ય અર્પણ કર્યું. પરંતુ આઈએ તેને સ્વીકાર ન કર્યો. એટલે મહારાણાએ બારૂજીને પોતાના મોટાભાઈનું બિરુદ આપી બાર ગામની જાગીર આપી, જેમાં મુખ્ય ગામ આંતરી નામનું હતું’. ઉપરાંત બારૂજીને પોતાના વ’શપર પરાગતના દશોદી પ્રોળપાત બનાવ્યા. અને તે વખતે બારૂજી ઘોડાના મોટા વેપારી સોદાગર હતા તેના ટુકા સ્વરૂપે સૌ તેમને બારૂજી સૌદા કહેવા લાગ્યા. એમના વંશજોની પેટા શાખ પણ સોદા બની ગઈ. મહારાણા હમીરે આઈ વરવડીને પોતાનાં જીવનદાતા માની જન્મદાત્રી માથી પણ અધિક સ-માન સાથે રાખેલાં અને તેમની સ્મૃતિમાં ચિત્તોડમાં (ઉપર કિલ્લામાં) ભવ્ય મંદિર બંધાવીને તેમાં આઈમાની પ્રતિમાની પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવ સાથે કરેલી. એ મંદિર ચિત્તોડના કિલ્લામાં અન્નપૂર્ણાજીના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. (હું બે વખત ચિત્તોડ ગયો હતે. ત્યારે આઈ અન્નપૂર્ણાજીના મંદિરમાં આઈ વરવડીજીની પ્રતિમાનાં દર્શન કરી આવ્યો છું)

બારૂજી પોતે ઉચ્ચ દરજ્જાના સારા કવિ હતા. તેમણે મહારાણા હમીરનાં અનેક ગીતો રચેલાં ઉપરાંત બીજી કવિતા પણ બનાવેલી. બારૂજીના વંશજો મેવાડમાં ખૂબ પથરાએલા છે. અનેક ગામોમાં છે. એ સૌદા વંશમાં અનેક કવિઓ, દેશભક્તો, રાજનીતિજ્ઞો, રાજ્ય વ્યવસ્થાપકો વિદ્વાનો થઈ ગયા છે. દેશભક્ત કવિ રાજનીતિજ્ઞ ઠાકુર શ્રી કેશરીસિંહજી સૌદા (શાહપુરાવાળા), તેમના ભાઈ પ્રખ્યાત કપિ ઇતિહાસકાર, શ્રી કિશોરસિંહજી (પતિયાળા રાજ્ય ઈતિહાસ સંસ્થાનના મુખ્ય અધિકારી) તેમના નાના ભાઈ દેશમક્ત શ્રી જોરાવરસિંહજી તથા શ્રી કેશરીસિંહજીના હુતાત્મા પુત્ર દેશભક્ત શ્રી પ્રતાપસિંહ તથા કેશરીસિંહજીના મહા વિદ્વાન પિતા-પ્રાકૃત, માગધી, સંસ્કૃત, અંગ્રેજી, હિંદી, રાજસ્થાની આદિ અનેક ભાષાના જાણકાર, રાજ્યવ્યવસ્થા નિપુણ કવિવર (ચારણ કુલ પ્રકાશ ગ્રંથના લેખક) દાદુર શ્રી કિશનસિંહજી સૌદા શાહપુરાવાળા તથા ‘પ્રતાપચરિત્ર’, ‘દુર્ગાદાસ ચરિત્ર’ તથા ‘રાજસિંહ ચરિત્ર’ આદિ કાવ્ય પ્રપોના કર્તા વિદ્વાન કવિવર શ્રી કેશરીસિંહજી સૌદા – સોન્યાણાવાળા આદિ અનેક નામી પુરૂષોની ક્રાતિથી એ સૌદા વંશ વિરોષ ઉજજવળ બન્યો છે.

~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

माँ वरवड़ी से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति