चारण शक्ति

Welcome to चारण शक्ति

मां पूरबाई लांगड़ीयाणी

मां पूरबाई लांगड़ीयाणी

पूरा नामઆઈ પૂરભાઈ લાંગડીયાણી (પાતાવાળાં)
माता पिता का नामપિતાનું નામ ભાભાભાઈ અજાભાઈ લાંગડીયા, આઈનાં માતાનું નામ મીણબાઈ જે દ્વારકા પાસે આરભંડાના ગઢવી જીવણભાઈ ભુવાનાં પુત્રી હતાં.
जन्म व जन्म स्थानતેમનો જન્મ સવંત ૧૬૦૦ લગભગ થયો હોવાનું જણાય છે. બાંટવા પાસેના ગામ મીતીના વતની.
स्वधामगमन
આઈ પૂરબાઈ સંવત ૧૬૬૨ લગભગ પોતાના પતિ વીરા મોડ પાછળ પાતા મુકાએ સતી થયાં.
विविध
આઈ પૂરબાઈનાં લગ્ન ગામ પાતાના ગઢવી વીરાભાઈ આલાભાઈ મોડ સાથે થએલાં,

 जीवन परिचय

આઈ પૂરભાઈ લાંગડીયાણી (પાતાવાળાં) — આઈ પૂરબાઈના પિતાનું નામ ભાભાભાઈ અજાભાઈ લાંગડીયા. તેઓ બાંટવા પાસેના ગામ મીતીના વતની. આઈનાં માતાનું નામ મીણબાઈ જે દ્વારકા પાસે આરભંડાના ગઢવી જીવણભાઈ ભુવાનાં પુત્રી હતાં. આઈ પૂરબાઈનાં લગ્ન ગામ પાતાના ગઢવી વીરાભાઈ આલાભાઈ મોડ સાથે થએલાં, પાતા ગામ માધુપુર (ઘેડ) થી બે અઢી માઈલ દૂર પોરબંદર તરફની સડકથી પૂર્વ બાજુએ આવેલું છે. આઈ પૂરબાઈ અને વીરાભાઈ મોડને બે પુત્રો થએલા જેમનાં નામ (૧) ભાયો તથા (૨) દેવો. આઈના પાંત વીરો મોડ તેમના પૂર્વજ રીણા મોડની ૭મી પેઢીએ થયા. રીણાના દેવસુર – દેવસુરના હીંગોળદાસ, હીંગોળદાસના ભાયો, ભાયાના રણમલ, રણમલના આલો અને આલાના વીરા. આઈ જાનબાઈના વૃત્તાંતમાં કહેવામાં આવ્યું છે તેમ રીણા મોડના ત્રણ પુત્રો (૧) હાજો- જે ગોરસેર રહ્યા. (૨) દેવસુર – જે પાતા રહ્યા અને (૩) કરણ – જે મઢડા ગયા.

આઈ પૂરબાઈ સંવત ૧૬૬૨ લગભગ પોતાના પતિ વીરા મોડ પાછળ પાતા મુકાએ સતી થયાં. તેમની દેરી પાતાના પશ્ચિમ પાદરમાં રસ્તાના કાંઠે વચમાં ઊંચા ઓટલા પર પૂર્વાભિમુખ છે, પાતાના સર્વે મેરો, કોળીઓ અને બીજાં સૌ તથા આજુબાજુના ગામનો સર્વ જનસમાજ તેમને પોતાનાં ઈષ્ટ દેવી માને છે. પૂજે છે. સ્વાભાવિક રીતે મોડ વંશના અને બીજા ચારણો તેમને પોતાનાં કુળદેવી તરીકે પૂજે છે. તેમનાં દર્શન માટે યાત્રાળુઓ, ભાવિકો આવતા રહે છે. આઈ સતી થયાં ત્યારે સં. ૧૬૬૨માં તેમની ઉમ્મર ૬૦-૬૨ વર્ષની હતી. એટલે તેમનો જન્મ સવંત ૧૬૦૦ લગભગ થયો હોવાનું જણાય છે. આઈ પૂરબાઈ ઘણાં પ્રતાપી, પવિત્રાત્મા દયાળુ અને શક્તિશાળી હતાં. ખૂબ ઉદાર સાથે સાથે ખૂબ તપસ્વી હતાં.

એ વખતના જૂનાગઢના મુસલમાન શાસકની આંખોનું દર્દ એમણે મટાડેલું તથા તેની પુત્રીને અસાધ્ય માંદગીમાંથી બચાવેલી અને તે પુત્રી પોતાને જીવનદાન આપનાર આઈ પૂરબાઈની સેવામાં ઘણો વખત સુધી રહેલી; એ ઉપકારોના ઉપલક્ષ્યમાં એ શાસકે આઈ પૂરબાઈને પાતા, ગોરસેર, ઊંટડા, બળેજ, મંડેર, એરડા, મીતી, મઢડા તથા કડછ વગેરે કુલ ૧૨ ગામો માટે પટો કરી આપેલો, એ ગરાસ ચારણોને નામે કરી આપેલો. એ વાત ખૂબ પ્રસિદ્ધ છે. પૂ. આઈમા શ્રી સોનબાઈમા પાસેથી મેં સાંભળી – જાણી છે. આઈ પૂરબાઈની એક ચરજ આઈમા સોનબાઈમા ખૂબ હલકથી ગાતાં તેની પ્રથમ કડી નીચે મુજબ હતી.

પ…રલ તું.. હયે નવે… નિધ્યું…મળે….હો…માં

.

माँ पूरबाई से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति