चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ खोडियार

माँ खोडियार

पूरा नाममाँ खोडियार
माता पिता का नामइनकी माताजी का नाम (गुजरात में मीणल माता और देवल माता दोनो मिलते हैं,) जबकि राजस्थान में मोहवृति ओर पिता मामडियाजी चारण के घर जन्म
जन्म व जन्म स्थान9वीं से 11वीं शताब्दी के आसपास महासुद आठम के दिन जन्म गुजरात के भावनगर जिलें के रोहिशाला गांव में अवतार लिया
स्वधामगमन
 
विविध
माँ खोडियार – मादा शाखा के चारण कुळ में मामडिया चारण के घर सात बहने ओर एक भाई महेरख का जन्म, 1.आवड़, 2.होल, 3.गेल, 4.आई रांगळी (रंगबाई), 5.आई रेपल (रूपबाई), 6.आई सांसई, 7.आई लघुबाई आई (खोडियार – जानबाई) ये सात-बहने।

 जीवन परिचय

મહત્તવ અને ઓળખ
શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારત માં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, આધ્ય શક્તિ શ્રીવેરાઈ, મહાકાળી, ખોડિયાર, હોલમાતાજી, બહુચર,  ચામુંડા, હિંગળાજ ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાડ, મેલડી,  મોમાઈ, નાગબાઈ, હરસિધ્ધિ, મોઢેશ્વરી, બુટભવાની, ઊમિયા, વગેરે જેવા દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે તેમાનો એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હૂતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ ( ખોડિયાર ) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૯મી થી ૧૧મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. પ્રાગટય કથા શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે, ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણરહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષમીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને ચાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતું શ્રેય તેમ લાગતું. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામાં આવ્યું કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશૂકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશો. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાકયમાં ” મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્યપોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ કુખે થયું. આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પાનીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિયાય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયૌ ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરિક્રે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પાનીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહ્ન સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.

જાનબાઈ માંથી ખોડિયાર કહેવાયા
વિશ્વમાં ઘણીબધી વ્યક્તિઓ કે દેવી દેવતાઓનાં ઉપનામ પડવા પાછળનું કોઈને કોઈ કારણ જોવા મળે છે. તેવી જ રીતે સૌરાષ્ટ્ર માં અવતરેલ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરસિયાનો જીવ બયે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને ઐવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.

ખોડિયાર માતાજીના મંદિરો: –
●ખોડિયાર મંદિર – ગળધરા (ગુજરાત)
●ખોડિયાર મંદિર – માટેલ (ગુજરાત)
●ખોડિયાર મંદિર – રાજપરા (ગુજરાત)
●ખોડિયાર મંદિર – વરાણા (ગુજરાત)

.

આઈ ખોડિયાર – આઈ ખોડિયાર મામડિયા માદાનાં સાત – પુત્રીઓ આવડ વગેરેમાં સૌથી નાનાં પુત્રી હતાં. ખોડિયાર એક પગે ખોડ ગાતાં – ખોડાં હતાં. એમનું નામ લઘ્વી (એટલે નાનાં) હતું. પણ પગે ખોડાં હોવાને કારણે તેમનું નામ ખોડિયાર – ખોડલ પડેલ છે. એ અંગે જનશ્રુતિ એવી છે કે તેમના ભાઈ મિહિરને જયારે સર્પદંશ થયો ત્યારે મોટાં બહેન આઈ આવડની આજ્ઞાથી આઈ લઘ્વી અમૃત – ઔષધિ લેવા ગએલાં. ત્યાંથી આવતાં વાર લાગી. દરમિયાન (કહે છે કે) આઈ આવડ એમ બોલેલાં કે “લઘ્વી ખોટી થઈ. નહિ તો હજુ સુધી કેમ ન આવે ?” કહે છે કે આઈ આવડના એ શબ્દોની ચમત્કારિક અસરથી લધ્વી આઈ ખોડાં થયાં અને ખોડિયાર કહેવાયાં. પણ વાસ્તવિક રીતે તેઓ જન્મથીજ એક પગે જરાક ખોડાં હતાં જ.

તેમને જન્મ વિ. સંવત ૯૦૦ની આસપાસ થયાનું જણાય છે. આઈ ખોડિયાર પોતાનાં મોટાં બહેન આઈ આવડની જેમજ ખૂબ સ્વરૂપવાન, પ્રતાપી અને પ્રતિભાવાળાં હતાં. તપ અને સંયમ, ભક્તિ અને જ્ઞાન, પ્રેમ અને દયા વગેરે દૈવી સંપત્તિના ગુણો એમના જીવનમાં ઓતપ્રોત હતા. એમણે જીવનભર બ્રહ્મચર્ય વ્રત પાળેલું. મોટાં બહેન આવડ જયારે સિંધની પ્રજાનાં દુ:ખ નિવારણ માટે ત્યાં પધાર્યાં, ત્યારે સૌરાષ્ટ્ર – કચ્છ-ગુજરાતના પ્રદેશોનું જનકલ્યાણનું કાર્ય આઈ ખોડિયારે સંભાળ્યું અને જીવનભર એ કાર્યમાં રત રહ્યાં.

એ સમયે વલ્લભીપુરમાં શીલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, એ છેલ્લો – સાતમો શીલાદિત્ય હતા. વલ્લભીપુરના રાજયની અંતર્ગત રોહીશાળા ગામની પાસેજ આઈનો નેશ હતો. એ શીલાદિત્ય છેલ્લો અર્ધ નાસ્તિક જેવો હતો.

એણે આઈ ખોડિયારના દિવ્ય રૂપની વાતો સાંભળેલી અને એક વખત રાજયમાં ફરવાના બહાને આઈને નેશે ગયેલો, આઈએ તેને વધાવ્યો. સત્કાર કર્યો. દૂધ પાયું. આઈના પ્રત્યક્ષ દર્શનથી પણ એની કુમતિનાં પડળ ઊઘડયાં નહિ. ઉલ્ટું આઈનું રૂપ જોઈને એનો મોહ અધિક ભડકી ઊઠયો. એણે આઈને કહ્યું કે : “આપ આ નેશમાં રહો અને તડખડ વેઠો એ બરોબર નથી. આપ તો મહેલમાં શોભો. આપ વલ્લભીપુર આવો. આપને ચરણે વલ્લભીપુરનું રાજય ધરી દઉં.” આઈ ખોડિયાર રાજાની હીણું નજર પારખી ગયાં. એમણે ઉત્તર આપ્યો કે “બાપ શીલાદિત્ય ! અમને ચારણોને શહેર સદતુ’ નથી. રાજ્ય ને વૈભવ ને મહેલ મહેલાતું’ માં અમને ન ફાવે. અમને અમારાં ઝૂપડાં રાજમહેલ જ છે. અને જે, તારી નજરમાં, તારા મનમાં જે મેલ ભરાણો છે, એ મેલ કાઢી નાખજે. અને મેલા મનથી કોઈ વખત ચારણને નેશડે આવતો નહિ, સમજયો ને !’

આઈનાં વચન સાંભળીને રાજા સમસમી ઉઠયો. પણ એના મોહના પડળ ઉતર્યાં નહિ. એણે વાત ફેરવીને કહ્યું, “ના ના એવું કંઈ નથી. હું તો તમારા સુખશાંતિ માટે કહેતો હતો. તમારે ત્યાં ન આવવું હોય તો તમારી જેવી મરજી.” આઈએ ઉત્તર વાળ્યો કે “તારા મનમાં મેલ ન હોય તો બહુ સારું – માતાજી રાજી.” બાદ તુરત જ રાજા રવાના થઈ ગયો. પરંતુ તેને આઈનાં હિત વચનો કડવાં ઝેર લાગેલાં, એને તેણે પોતાનું અપમાન થયાનું માન્યું. અને એ અપમાનનો બદલો લેવાની વૈરવૃત્તિ તેના મનમાં ભડકી ઊઠી, આઈની પાસે ૫૦-૬૦ જાતવંતી ભેંસોનું ખાડુ હતું. ઉપરાંત નેશના બીજા ચારણો પાસે પણ ઘણી ભેંસો હતી. તે બધી પોતાના રાજ્યની અંદર ચરે ફરે છે, તેની મસવાડી (ચરવાના કર) સર્વે ચારણો તથા આઈ પાસેથી ઉઘરાવવાનું નક્કી કરી તેણે પોતાના નોકરોને એ કર વસૂલ કરવાની આજ્ઞા કરી. તે પ્રમાણે તેમણે માગણી કરતાં નેશના આગેવાન ચારણો સાથે આઈ શીલાદિત્યના દરબારમાં ગયાં અને રાજાને કહ્યું કે “બાપ શીલાદિત્ય ! અમે ચારણો પર ક્યાંય કોઈ રાજ્યમાં કર છે નહિ. અમે તો તારા વડવાઓએ આ રાજ્ય સ્થાપ્યું તે પહેલાં સેંકડો – હજારો વર્ષોથી, પૃથુરાજાના વખતથી આ પ્રદેશમાં માલઢોર રાખીને રહીએ છીએ, તારા વંશ પહેલાંના રાજવંશવાળાઓએ પણ ચારણો પાસેથી કરની માગણી કરી નથી. એટલે તારે પણ એવો કર લેવાનો હોય નહિ.” એટલે રાજાએ કહ્યું કે “તમે ચારણ હો કે ગમે તે હો, મારા રાજ્યમાં તો માલ ઢોર રાખે, તેણે મસવાડી ભરવાની જ છે. એટલે સૌ તાત્કાલિક કર ભરી દેજો, નહિ તો જપ્તીથી વસુલાત કરવામાં આવશે.” આઈએ જવાબ આપ્યો કે “રાજા ! ચારણો ઉપર જપ્તી ન હોય. ચારણોનાં ઝૂપડાં ચૂંથવાં એ રાજાને ન શોભે. નિરૂપદ્રવી, નિર્દોષ ચારણને છેડવા પહેલાં ખૂબ વિચાર કરી જોજે. ચારણોને છેડવાનાં ભૂતકાળમાં ઘણા માઠાં પરિણામ આવ્યાં છે, તે તું જાણતો જ હોઈશ એટલે મારે તને સમજાવવાનું” રહેતું નથી.” એટલે રાજા તરત તાડૂફયો “એ. મ! મને પરિણામની ધમકી આપો છો ! ડરાવવા માગો છો કે ? હું એવી ધમકીઓથી ડરતો નથી. સમજ્યાં ને ? અને તમને ખબર ન હોય તો જાણી લેજો કે રાજય સત્તાના કાયદાને ન માનવાનું પરિણામ પણ સારૂં નથી આવતું. જુઓ, તમને અઠવાડિયાની મુદત આપું છું. આઠ દિવસમાં કર નહિ ભરો તો નવમે દિવસ જપ્તીથી વસુલાત કરવામાં આવશે.” આઈએ ઉત્તર આપ્યો કે “બાપ શીલાદિત્ય ! અમારા લબાચા ચૂંથવાની વાતથી હજુય ઊતરી જા. નહિ તો પાછળથી પસ્તાવાનો વખત આવશે.” રાજાએ છેવટનું વેણ કાઢયું કે “કોને પસ્તાવું પડશે, તે આપણે જોશું. હવે મારે તમારી બીજી વાતું સાંભળવી નથી. મુદતસર કર નહિ ભરો તો કાયદેસર થશે.” એ સાંભળીને આઈ પાછા વળતાં બોલ્યાં કે “હા. રાજા ! જરૂર કાયદેસર થશે. પણ તે કુદરતના કાયદા પ્રમાણે, તારા કાયદા પ્રમાણે નહિ થાય.”

આ પ્રમાણે કહી આઈ ચારણો સાથે પાછાં નેશમાં આવ્યાં અને સૌ નેશવાળાઓ સાથે વાતચીત કરી સૌને આશ્વાસન આપ્યું કે “જગદંબામાં વિશ્વાસ રાખો. તે આપણી સહાય કરશે. રાજાની સત્તા કરતાં એ જગદીશ્વરીની સત્તા મોટી છે.” આઈની દિવ્ય શક્તિ પર સૌને વિશ્વાસ હતો, એટલે સૌ નિશ્ચિંત બન્યા. આઠ દિવસ વીત્યા. નવમે દિવસે રાજાએ પોતાનાં માણસોને મોકલ્યાં. તેઓ આઈનું ખાડુ ચરવા ગયેલું’ તેમાં સોનાની નાકર (નાકમાં પરાવેલ સોનાનું કડું) વાળો ભલો પાડો હતો, તે પાડાને તથા આઈની બધી ભેંસોતે વાળીને લઈ ગયા. અને રાજાની આજ્ઞા પ્રમાણે તે સર્વેને લોખંડના દરવાજાવાળા વાડામાં પૂરી દીધાં. આઈને તેના ખબર પડતાં ફરીને વલ્લભીપુર પધાર્યાં, રાજાને મળવા ગયાં. પણ રાજાએ મળવાની ના પાડી. એટલે પોતે જગદંબાનું આહવાન કરી મહાશક્તિ રૂપ ધારણ કરી પાડા તથા ભેંસો જ્યાં પુરેલા તે વાડાના લોખંડી દરવાજા પર થાપો માર્યો. એટલે ખંભાતી તાળાં દીધેલો એ દરવાજે કડડ ભૂસ કરતો તૂટી પડયો. અને પાડો તથા ભેંસો છૂટાં થઈ આઈના નેશે પહોંચી ગયાં. સમી સાંજે આ બનાવ બન્યો. એટલે બીજે દિવસે રાજા ૧૦૦ માણસોને સાથે લઈ આઈ તથા બીજા સર્વે ચારણોના માલઢોરની જપ્તી કરવા તથા આઈને પકડી કબ્જે કરવા માટે આઈને નેસડે પહોંચ્યો. ત્યાં આઈ પોતે મહા શક્તિના રૂપમાં સામાં આવ્યાં. રાજા જુએ છે તો અનેક આઈ ખોડીયારોનું મોટું સેન્ય હાથમાં ત્રિશળ તરવારો ધારણ કરીને સામુ આવતું દેખાયું. તે ભયભીત થઈ ગયો અને ભાગ્યો. તેની સાથે તેનાં માણસો પણ ભાગી નીકળ્યાં. ત્યાં તો આઈની મેઘગંભીર વાણી તેના સાંભળવામાં આવી કે “રાજા ! તે ચારણોની મર્યાદા લોપી છે. આઈ જગદંબા પર કુદષ્ટિ કરી છે. તેના પરિણામે યવનોને હાથે થોડા સમયમાંજ તારું રાજય રોળાઈ જશે.” ઈતિહાસ કહે છે કે એ અરસામાં રાજાના એક પ્રધાન કાકુએ આરબોને નોતરીને શીલાદિત્ય પર ચડાઈ કરાવી. સેંકડો વહાણોમાં ભરાઈને આવેલ આરબોનાં ઘોડાંઓએ વલ્લભીપુરનો વિનાશ કર્યો. વલ્લભીપુરનું સામ્રાજય તૂટી પડયું. આઈ ખોડિયારની અનેક જુની કવિતાઓ, ચરજો, છંદો પ્રચલિત છે, જેમાં શીલાદિત્યને રાજ્યાની હકીક્ત કહેવામાં આવી છે. એ ચરજોમાં તેને શેળાઈત કહેવામાં આવેલ છે.

આઈ ખોડિયાર પણ ઘણા વરસ જીવેલાં, જ્યાં જ્યાં તેઓ પધારેલાં ત્યાં ત્યાં તેમનાં સ્થાનકો થયેલાં છે. ધારી પાસે નદી કિનારા પર, ભાવનગર પાસેના રાજપુરાની નદીના કિનારે, તેમજ સૌરાષ્ટ્ર – ગુજરાતમાં અનેક સ્થળોએ તેમનાં મંદિરો બનેલાં છે. છેલ્લાં આઈ મહેસાણા જિલ્લાના વઢિયાર પ્રદેશમાં વરાણા ગામે બિરાજતાં હતાં. એ વરાણામાં આઈ ખોડિયારનું મોટા મંદિરવાળું સુંદર ધામ છે. જ્યાં દરરોજ અનેક યાત્રાળુઓ આવે છે. દર વર્ષે મહા મહિનાની સુદ આઠમે ત્યાં મોટો મેળો ભરાય છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા અને બીજા સ્થળોએથી હજારો માણસો નૈવેદ્ય લઈને કુટુંબકબીલાઓ સાથે આઈની યાત્રાએ આવે છે. એ આઠમે આઈની યાત્રાએ આવવાનો મોટો મહિમા છે.

ભાવનગરથી દશ માઇલ પશ્ચિમે ધોરી માર્ગ પર રાજપરા નામનું ગામ છે. તેની નદીના ઉપરવાસે નદીના પૂર્વ કિનારા પર આઇ ખોડિયારનું વિખ્યાત ધામ છે. તેનું આરસનું નાનું મંદિર ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ બંધાવેલું અને તેમના પુત્ર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એ મંદિરની ચારે બાજુ મોટો મંડપ બનાવી મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. તેને વિશાળ બનાવ્યું છે. પાસે જ પાણીનો ધરો છે. જે તાતણિયાના ધરા તરીકે પ્રસિદ્ધ છે. મંદિરની આજુબાજુ મોટી ધર્મશાળાઓ છે, જેમાં સેંકડોની સંખ્યામાં યાત્રાળુઓ ઉતરી રહી નૈવેદ્ય બનાવે છે, ઊજાણીઓ કરે છે. નાળિયેર તથા પ્રસાદની તથા રસદની દુકાનો પણ છે. પાસે જ નદી પર રાજય તરફથી મોટો બંધ બાંધી ખોડિયાર સરોવર બનાવેલું છે, જેમાંથી ભાવનગર શહેરને પાણી પુરવઠો મળે છે. દર રવિવારે તથા મંગળવારે ત્યાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે. અને મોટા મેળા જામે છે. એ ધામ ઘણું રળિયામણું છે. દરદુરથી દેશ વિદેશથી યાત્રાળુઓ આવતા રહે છે.

આઈ ખોડિયાર ભાવનગરના રાજકુળનાં, સમસ્ત ગોહિલકુળનાં કુળદેવી તરીકે પૂજાય છે. ભાવનગરના કાકોર વખતિસંહજી (આતાભાઈ) ને આઈ ખોડિયારનું મોટું ઈષ્ટ હતું. તેમના પર આઈ ખોડિયાર પ્રસન્ન થએલાં, અને ભાવનગર રાજ્યના વિસ્તરણમાં આતાભાઈના ભાલા પર – એમના ડંકા નિશાન પર આવીને બિરાજતા અને આતાભાઈને યુદ્ધમાં વિજય મળતો એમ જન શ્રુતિ છે. આઈ ખોડિયારના વ્યક્તિગત પરચાઓને પાર નથી. અનેક શહેરામાં આઈ ખોડિયારના ભક્તો આઈ બેડિયારના નામનાં ભક્ત મંડળો ચલાવે છે. તેમનાં ગુણગાન અનેક કવિઓએ ગાયાં છે. અને ગવાઈ રહ્યાં છે. તેમના વિષે ખૂબ લખાણુ છે. અને લખાય છે. તેમજ સમસ્ત ગુજરાતમાં તેમનાં પૂજન, ધ્યાન મોટા પ્રમાણમાં ચાલુ છે.

~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)


.

मां खोडियार के सम्बंधित रचनाओं व संस्मरणों को पढ़ने के लिए नीचे शीषर्क पर क्लिक करें-

  • खोडल तारा खेल- रचना: जोगीदान चडीया
  • श्री आवड़ माता(तनोट माता) के आशीर्वाद से भारतीय सेना की तनोट के युद्ध में चमत्कारी विजय

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति