चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ चांपबाई

माँ चांपबाई

 

पूरा नाममाँ चांपबाई
माता पिता का नामपिता हरपाल जी चारण एवम माता धानबाई (पूर्णबाई) के घर 
जन्म व जन्म स्थानगुजरात राज्य के टँकारा नामक गाँव मे चारण कुल की कवल (चोराडा) शाखा में हुआ।
स्वधामगमन
 
विविध
 

 जीवन परिचय

चारण शक्ति आई चांपल माँ
आई चांपबाई माँ का जन्म पिता हरपाल जी चारण एवम माता धानबाई (पूर्णबाई) के घर गुजरात राज्य के टँकारा नामक गाँव मे चारण कुल की कवल (चोराडा) शाखा में हुआ।

जन्म के कुछ ही समय बाद ही आई चांपल ने जनकल्याण के लिए अनेक चमत्कार किये एवम आस – पास के गाँवो में आई चांपबाई पर असीम आस्था हो गई
बाल ब्रह्मचारीणी देवी चापल तेजवंत ओर दिव्य आभा वाले थे

एक समय आई चांपल ने अपने माता-पिता से हिंगलाज दर्शन के लिए जाने की मंशा रखी ओर आज्ञा लेकर आई चांपल बैलगाड़ी में सवार होकर हिंगलाज दर्शन पर निकल गए ।
यात्रा के दौरान कच्छ में अंजार के पास खेड़ेई (खेडोई ) गाँव में शेरो का बहोत आतंक था। अतः आई चांपल ने रात्रि में जंगल मे रहना उचित नहि समझा, आई चांपबाई ने बैलगाड़ी हाँकने वाले से कहा जाओ गाँव मे पता लगा कर आओ की रात्रि में गाँव में कही रुका जा सकता है कि नही।

गाँव में जाडेजा राजपूत की बस्ती थी ओर जिनका मुखिया भीमसिह राजपूत था, गाड़ी हाँकने वाले ने भीमसिह से कहा कि आई चांपबाई हिंगलाज यात्रा पर जा रहे है । रास्ते मे शेरों आतंक है, तो आज इसी गांव में रुकना चाहते है

गाड़ी हांकने वाले कि बात सुन
अहंकारी ओर बड़बोले मुखिया भीमाजी ने कहा चांपबाई तो चारण कन्या है ओर चारण कन्या तो जगदम्बा का अवतार होती है।
जगदम्बा को शेरों से कैसा डर, चांपबाई से कहो की आज जंगल मे ही विश्राम करे अपने प्रिय सवारी शेर के साथ रहे

इस बात की सूचना मिलने पर देवी चांपल उसकी मूर्खता पर हँसे ओर रात्रि जंगल मे ही विश्राम करने का निश्चय किया

रात्रि में एक सिंह ने माताजी की बैलगाड़ी के एक बेल को मार दिया।

अब बिना बैल के आगे प्रस्थान करना सम्भव नही था। तो आई ने गाड़ी हाँकने वाले को बेलगाड़ी हेतु बैल की व्यवस्था करने गाँव मे भेजा

गाड़ी हांकने वाला दोबारा
भीमाजी के पास गया और बताया कि रात्रि में शेर ने एक बैल को मार दिया अतः हिंगलाज यात्रा प्रारंभ करने के लिए एक बेल की आवश्यकता है
इस पर अहंकारी भीमसिह ने कहा आई चांपल तो जगदम्बा है उनको बैल की क्या जरूरत आई तो शेरों को अपनी गाड़ी में जोत देती है

गाड़ी हाँकने वाले ने जब यह बात
चांपबाई माँ को बताई तो माताजी की भृकुटी तन गई
ओर जगदम्बा ने विकराल रूप धरा

उठी अमरमे कस कमरमे ‘ तु समरमे चारणी
देता डमरमे खडग करमे ‘ रण नगरमे डारणी
ऐकी अखंडी मही मंडी ‘ पाप खंडी अणकळी
देतान दंडी मान चंडी ‘ धु विखंडी परजळी
कोपे कमंडी धर चहंडी ‘आदि चंडी आकड़े

सम्पूर्ण आकाश देवी की गर्जना से थर्रा उठा
एक धाकल मे शेर आकर आई चांपल के चरणो में आकर बैठ गया एवम माताजी ने शेर का कान पकड़ कर बैलगाड़ी में जोत दिया
अब एक तरफ़ सिह ओर एक तरफ बेल को जोतकर आई चांपल गांव के मध्य से निकले

एक हाथे बलदीयो ‘ बिजे हाथे सिंह
चोराडी चांपल तणी ‘ लोपे कोई नो सिह

गाँव मे प्रवेश करते ही चारो तरफ हाहाकार मच गया सब डर के मारे भागने लगे

जब भीमाजी ने आई चांपबाई माँ को इस विकराल रूप को देखा तो मारे डर के माता जी से क्षमा याचना करने लगा
खमा माँ खमा दया करो मुझ से गलती हो गई
आज के बाद हमेशा मानवता के पथ पे चलूंगा
करुणामयी माताजी ने भीमाजी को माफ किया
अपने दोनों हाथों को चमत्कारी रूप से अविश्वसनीय लम्बा कर सभी को आशीर्वाद दिया ।
सभी ग्राम वासियों ने निवेदन किया माँ आप यही रहो
माँ ने कहा में हमेशा यही हु तुम पर कभी कोई आंच नही आएगी
गाँव के बाहर एक लकीर खिंच कर कहा आज के बाद शेर इस गाँव मे कोई आतंक नही मचाएंगे
इस गाँव मे किसी गढ़ का निर्माण मत करना नवरात्रि में आठम के दिन मेरे नाम का कच्चे सूत के धागा लेकर पूरे गाँव मे परिक्रमा करना उसी को अपना गढ़ समझना जिससे तुम पर कोई आंच नही आएगी, आज भी खेडोई गाँव मे यह प्रथा चालू है और चापल माता को ग्रामदेवी (गाँव की मुख्य देवी) के रूप में पूजा जाता है
आस पास क्षेत्र में अनेक तूफान, भूकंप आये पर खेडोई गाँव हमेशा मा चांपल की कृपा से सुरक्षित है वर्तमान में खेडोई गाँव मे चांपल माता के तीन भव्य मंदिर है एक मंदिर अंजार खेडाई रोड पर सीनुग्रा के पास दूसरा गाँव वाडी के मध्य ओर तीसरा गाँव की सीमा पर

कुछ समय बाद माताजी 3500 चारण सिरदारों एवम 16 अलग अलग जाति के कामदारों सहित भलखाडी ज़ागीर पधारे ओर उंक्त स्थान को अपनी कर्मभूमि बनाया

आई चांपल ने जनकल्याण के लिए अनेका-अनेक चमत्कार किये
आई चांपल के गुजरात एवम राजस्थान मे सैकड़ो मन्दिर है ।

राजस्थान के बाड़मेर जिले के भलखाडी सिणधरी गाँव तथा पाली जिले के गढ़वाड़ा में आई चांपल का भव्य मंदिर है

संदर्भ – खेडोई गाँव नी अश्मिता और चारणी साहित्य

.

આઈ ચાંપબાઈ – ટંકારાવાળાં :- (આઈ ચાંપબાઈ માએ કચ્છના ગામ ખેડોઈ મુકામે પરચો આપ્યા વગેરેની વાત તો જાણવામાં હતી. પણ તેમનાં માતા પિતા વગેરેની હકીકતની વિગતવાર ખબર ન હતી. એટલે જાંબૂડાવાળાભાઈ શ્રી રામભાઈ દેવસુરભાઈ લાંબા પાસેથી હકીકત મંગાવેલી. તેમના પુત્ર ભરતકુમારે તે લખી મોકલી દરમીઆન પાટડીવાળા ડો. શ્રી કિશોરભાઈ જેતાભાઈ શામળ, સાથે વાત- ચીત થતાં તેમણે આઈ ચાંપભાઈ વગેરેની હકીકતોવાળો. રાજકોટથી પ્રસિદ્ધ થતા ‘પરમાર્થ નામના માસિકનો સપ્ટેંબર-૮૦ નો ‘જોગમાયા’ અંક મોકલ્યોં, તેમાં કવિ શ્રી પિંગલશીભાઈ લીલા લિખિત “આઈ ચાંપબાઈની ચોકી’ નામનો લેખ વાંચ્યો. જાંબૂડાથી શ્રી ભરતકુમારે લખેલ હકીકત, તથા શ્રી પિગલસીભાઈના લેખની હકીકત લગભગ સરખીજ છે. એ સર્વેનો આભાર માનુ છું.)

આઈ ચાંપબાઈને જન્મ મોરબી પાસેના ટંકારા ગામના ગઢવી હરપાળ કવલને ત્યાં થએલો. (કવલ એ ચોરાડા શાખાની પેટા શાખ છે.) શ્રી ભરતકુમારે જણાવ્યા મુજબ આઈનાં માતાનું નામ ધાનબાઈ જે ભાંચળિયા શાખાનાં હતાં. જન્મથી જ આઈ ચાંપબાઈના બન્ને પગ ચાંપલા હતા. (આંગળીએ વળેલી – ગૂચવાએલી તથા પગ વાંકાચૂંકા હતા.) એટલે તેમનું નામ ચાંપબાઈ રાખવામાં આવેલું. એમ જનશ્રુતિ કહે છે. આઈના શરીરનો વર્ણ પણ શ્યામ હતો. આઈના પિતાને ત્યાં ગાયો – ભેશો બહોળાં માલ ઢેર હતાં. ઉપરાંત બળદોના મોટા વેપારી હતા. એમનું કુળ કુટુંબ-સૌ ભક્તિ ભાવવાળું હતું. હરપાળ ગઢતી આઈ હિંગળાજના ઉપાસક હતા. તેમના ઘરમાં આઈ હિંગળાજનું મઢ હતું. જેમાં આઈનું પ્રતીક ત્રિશુળ રહેતું અને તેની પૂજા થતી. સવાર સાંજ ધૂપદીપ કરી કુટુંબનાં સૌ ભેળાં મળી માતાજીનું પૂજન કરી ચરજો, છન્દો, સ્તુતિ પ્રાર્થનાઓ ગાતાં, માળા ફેરવતાં, ધ્યાન ધરતાં એટલે આઈ ચાંપબાઈને ગળથૂથીમાંજ – બાળપણથીજ જગદંબાની ઉપાસના ભક્તિના સંસ્કાર મળેલા, ઉપરાંત પોતે જન્મથી જ દૈવી પ્રતિભાવાળા તો હતાંજ, મહાન પુણ્યશાળી આત્મા હોવાના કારણે ક્રમે ક્રમે એમની જગદંબા – ભકિત વિશેષ દૃઢ થતી ગઈ. સાથે સાથે એમનાં વ્રત, ઉપવાસ, તપ, સંયમ પણ વૃદ્ધિ પામતાં ગયાં. એટલે સૌ એમને “આઈ ચાંપબાઈ !” કહીને જ સંબોધન કરતાં. એમને જગદંબા સ્વરૂપ પૂજય માનતાં,

આઈ ચાંપબાઈ ઉમ્મર લાયક થયાં પણ વાને શામળાં અને પગે ચાંપલાં એટલે તથા તેમનું ભકતની ધૂનવાળું વર્તન-આચરણ એટલે ક્યાંયથી માગું ન આવેલું. તેથી માતા પિતાને ઘણી ચિંતા રહેતી માતા – પિતાની મૂંઝવણ જાણવામાં આવતાં આઈએ માતાપિતાને કહ્યું કે, “મારે સંસારમાં પડવું નથી. જીવનભર બ્રહ્મચર્ય પાલન કરી માતાજી હિંગળાજનું ભજન – પૂજન ભક્તિ કરવાં છે. એટલે તમે મારી કોઈ જાતની ચિંતા કરશો નહિ. ”માતા પિતાએ બ્રહ્મચર્ય પાલનની કઠિનતાની તથા સંસારની વિષમતાની વાત કરતાં આઈએ ઉત્તર આપ્યો કે :-“ હું ચારણ પુત્રી છું. મારા વારસાનું મારા સંસ્કારનુ મને ભાન છે. અને મારા હૃદયમાં બેઠેલાં જગદંબા હિંગળાજમાની પણ પ્રેરણા છે એટલે મેં મનોમન પ્રતિજ્ઞા લઈ લીધી છે કે સંસારની આળપંપાળમાં પડવું નહિ. અને મારી ચારણની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટો સમજવી. માટે તમે મારી જરા પણ ચિંતા ન કરશો’ એમ કહી આઈએ માતા પિતાને પોતા અંગેની ચિંતાથી મુક્ત કર્યાં. આઈ હિંગળાજનું સ્થાનક સિંધથી પણ આગળ પશ્ચિમે બલુચિસ્તાનની દક્ષિણમાં આવેલ લાસબેલા (રાજય) પ્રદેશમાં છે. જૂના જમાનામાં અને પાકિસ્તાન થયું તે પહેલાં પણ હજારો લોકો ખાસ કરીને ચારણો, રાજપૂતો, આહિરો, રબારીઓ, માળીઓ, ભરવાડો, કાપડીઓ, બાવા સાધુઓ વગેરે અનેક જાતિઓવાળા હિંગળાજ પરસવા (સ્પર્શવા)- આઈ હિંગળાજની યાત્રા કરવા માટે જતાં. મોટા સંધો બાંધીને લોકો એ કઠિન યાત્રા કરતાં. ભારત વર્ષનાં ચારે દિશાઓનાં અધિષ્ઠાત્રી દેવીએ – ઉત્તરમાં જવાળામુખી, પૂર્વમાં કામાખ્યા, દક્ષિણમાં મીનાક્ષી અને પશ્ચિમમાં હિંગુલા-હિંગળાજ ગણાય છે. એ હિંગળાજ યાત્રાનો મોટો મહિમા માનવામાં આવતો.

આઈ ચાંપબાઈને પોતાનાં ઇષ્ટદેવી હિંગળાજની યાત્રાએ જવાની ઇચ્છા થઈ. એટલે એમણે માતા – પિતા પાસે એ વાત રજૂ કરી. તેમણે કહ્યું કે “આઈ ! એ યાત્રાનો પંથ ઘણો વિકટ અને લાંબો છે. ચોર ચખાર – લૂંટારાનો ભય અને વચમાં મોટાં મોટાં રણુ, અને પહાડો તથા પ્રદેશ પણ અજાણ્યો, અને તમારું શરીર પણ અપંગ એટલે કોઈ સારા સથવારા વિના એકલાં તો ન જ જવાય, અને અમે ભેળાં હાલીએ પણ અહિ માલ – ઢોર – ખેતી સભાળનારૂં’ કોઈ નથી. એટલે કોઈ અનુકૂળ સથવારો મળે ત્યારે જવાનું રાખો??

આઈએ ઉત્તર આપ્યો કે “ બાપુ ! માં ! મારે કોઈના સથવારાની જરૂર નથી. મને ચારણની દીકરીને, હિંગળાજની બાળકીને ભય કોનો ? હજાર હાથવાળી રક્ષા કરવાવાળી છે પછી ભય દેવો ને ભયની વાત કેવી ? અને જગદંબાની ઇચ્છા હશે તો કચ્છમાંથી કોઈને કોઈ સથવારો મળી જ જાશે. માટે જગદબા પર વિશ્વાસ રાખો. અને આપણા સાથીને ગાડું જોડાવીને મારી ભેળા મોકલો.” આઈ આટલું બોલ્યાં ત્યાં તો માતા પિતાને એમતા મુખ મડળમાંથી સૂર્યમંડળનાં કિરણો સમાન ભક્તિની દિવ્ય આભા પ્રગટતી દેખાણી, એટલે માતા પિતાએ હાથ જોડયા અને કહ્યું કે “ભલે આઈ ! માતાજી ! તમારી જેવી ઇચ્છા, ખુશીથી પધારો”

એમ કહી માતા પિતાએ પ્રવાસ માટે જોઈતી સાધન સામગ્રીની વિગતપૂર્વ’ક તૈયારી કરાવી અને તે તૈયાર થતાં ગાડામાં ભરાવી, સવારના પહોરમાં માતા પિતા અને કુળ કુટુંબતી શુભેચ્છાઓ અને મંગળ કામનાઓ સાથે આઈ ચાંપબાઈએ હિંગળાજ યાત્રા માટે પ્રસ્થાન કર્યું. કચ્છનું નાનું રણ ઓળંગીને કચ્છમાં પધાર્યાં. ત્યાંનાં તીર્થ સ્થળોની યાત્રા કરતાં કરતાં એક દિવસ રાત્રે વાળુ સમયે અંજાર પાસેના ગામ ખેડોઈ પહોંચ્યાં. ત્યાં રાતવાસો કરવાનો વિચાર કરી એક ખાલી ખેતરમાં ગાડુ છોડયું. તે જોઈને પાસેથી પસાર થતા એક ગામવાસીએ કહ્યું કે “આપ અહીં ગામ બહાર રાત રહો તે ઠીક નથી. કારણકે અહીં સિંહનો બહુ ત્રાસ છે.

માટે ગામમાં ક્યાંક આશરા શરણ રહેો તો સારૂ ? (એ વખત આજથી ૬૦૦ વર્ષ પહેલાં અંજારની આસપાસના એ પ્રદેશમાં ઘાટી ઝાડી હતી અને ત્યાં સિંહની વસ્તી હતી. સંવત ૧૬૪૨ થી ૧૬૮૮ સુધી કચ્છમાં રાજ્ય કરનાર રાવ શ્રી ભારમલજી પહેલાના સમયમાં એક કવિએ તેમની પ્રશંસામાં કહેલ છપ્પયના એક ચરણનું વાક્ય છે કે “સિંહ જિહિ ઠોરહીં હું કે.” એટલે ‘જે કચ્છમાં સિંહ ફૂંકારવ કરે છે.’ અને આઈ ચાંપબાઈને સમય તો તે પહેલાનો છે. એટલે એ વખતે ત્યાં સિંહ રહેતા હોય એ સ્વાભાવિક છે.) ગામવાસીનાં એ વચનો પરથી આઈએ સાથીને ઉતારાની તપાસ કરવા મોકલ્યો. એ ખેડોઈ ગામમાં એ વખતે સૌથી વિશેષ સંપત્તિવાળા અને મોટો ભાગદાર ગામધણી ટીલાત ભીમોજી નામનો લવરમૂછો જુવાન જાડેજ હતો. તે ખૂબ અભિમાની, અવિવેકી અને અવિચારી, બુદ્ધિમાન મૂર્ખ કહીએ તેવો છોકરમતવાળા હતો, નીતિ શાસ્ત્રમા એક શ્રોક છે :-

यौवन धन संपत्तिः प्रभुत्व मविवेकिता । एकैक्र मप्यनर्वाय किमु यत्र चतुष्टयम् ॥
યૌવન, ધન, મિલકત, સત્તા અને અવિવેક એટલે સારાસારની અસમજણ – અવિચારીપણ એ ચારમાંનું એક હોય તો પણ ભુડું કરવા માટે પૂરતું છે. તો પછી એ ચાર સામટાં ભેળાં થયાં હોય તો પછી પૂછવાનું જ શું રહ્યું’ ?

ભીમાજીમાં એ ચારે ભેળાં થએલાં ગામને એ આગેવાન અને એની ડેલી સૌથી મોટી એટલે કોઈકે ચીંધવાથી આઈનો સાથી ભીમાજીની ડેલીએ પહોંચ્યો. ભીમાજીને મળ્યો અને બધી વાત કરીને કહ્યું કે, “આઈ ચાંપબાઈમાં પધાર્યા છે અને ગામ બહાર સિંહનો ભય હોવાથી એક રાત પૂરતી ઊતરવાની ક્યાંક સગવડ કરી આપો તો સારૂ ” ભીમાજીએ તેને ઉત્તર આપ્યો કે, “એલા! આઈ એટલે તો માતાજી, એ તો સિહ ઉપર બેસે. ઇ આઇને તે વળી સિંહનો ભય કેવો ? સાચી આઈ હોય, તો કાંઇ અમારું રક્ષણ માર્ગે ? અને એવી આઈઉં તો હરરોજ ઉતારા માંગતીઉં આવે. એ બધીઉં’ને અહિં ઉતારાની સગવડ ભગવડ ન મળે, સમજ્યો ને?” એ સાથી પણ ચારણનેો – ચારણ આઈનો સાથી હતો. આઈને માટે આવી અપમાનભરી વાત સાંભળવા એ તૈયાર ન હતો. એ તુરત જ પાછો આવ્યો અને ગામના આગેવાન ભીમાજીએ કહેલાં વેણ આઈને કહી સંભળાવ્યાં. એ સાંભળીને આઈ જરા પણ ઉશ્કેરાયાં નહિ. ક્ષમાનાં સાગર હતાં. મા હતાં. આઈ હતાં. એમણે કહ્યું કેઃ “હોય, સંસાર છે, કોઈ કેમ બેલે, કોઈ કેમ બોલે, આપણે એમના બોલવા સામે જોવાનું ન હોય અને આપણે મોડાં પહોંચ્યાં છીએ અને ગામમાં પણ સોપો પડી ગયો છે. સૌ સૂઈ ગયાં લાગે છે, એટલે આપણે ‘અઠે જ દ્વારકા’ કરવું છે, સાવજનું ધ્યાન રાખશું. પહેરે પહોર પડકારા કરતાં રહેશું. અને તેમ છતાં જેમ માતાજીની ઇચ્છા હશે તેમ થાશે. માટે ભાતામાંથી ખાઈ લે’ એમ કહી સાથીને જમાડીને સુવરાવ્યો અને પોતે જાગતાં બેઠાં. પાછલે પહોરે સાથી જાગ્યો, તેણે આઈને સમ સગરા દઈને – સોગન આપીને આરામ કરવા વિનંતિ કરી. એટલે પોતે થોડીવાર માટે લંબાવ્યું. સાથી જાગતો બેઠે હતો, તે થોડી વારે ઝોકે ચડી ગયો. ત્યાં સાવજ ચુપકીદીથી આવ્યો અને બળદ પર તરાપ મારી તેનું ગળું પકડયું. બળદ પીડાથા ભાંભર્યો, પછડાયો અને આઈ જાગી ગયાં. સાથી પણ જાગ્યો. આઈ બળદને છોડાવવા લાકડી લઈને ગાડામાંથી ઊતર્યાં અને સાવજના માથામાં ફટકો માર્યો ત્યાં સાવજ બળદને છોડી ને ભાગી નીકળ્યો. પણ બળદની શ્વાસનળી કપાઈ ગયેલી એટલે તે તરફડીને મૃત્યુ પામ્યો. પોતાના વ્હાલા બળદનું કરૂણ મૃત્યુ થયું જોઈ કરૂણાસાગર આઈનું હૈયું ભરાઈ આવ્યું. પણ ક્ષણ- વારમાં પાછા સ્વસ્થ થયા અને ગમે તે કિંમત આપીને ગામમાંથી એક બળદ ખરીદી લાવવા માટે સાથીને મોકલ્યો.

એ સાથી ગામમાં પહોંચે ત્યાં ગામ ઝાંપામાંજ ભીમાજીનો ભેટો થઈ ગયો. સાથી થોડોક ખચકાણો, ત્યાં ભીમાજીએ પૂછપરછ ફરી “ કાં ? કેમ ગામમાં ફરીને આવવું થયું ? ” સાથીએ કહ્યું કે “ સાવજે બળદને મારી નાખ્યો છે એટલે બીજો બળદ ખરીદવા આવ્યો છું ભીમેજી તુરતજ બોલી ઊઠે “ મેં તો રાતેજ કહ્યું હતું કે ઈ આઈ નથી. નહિ તો સાવજની દેન છે કે ઈ માતાજીના બળદને મારે ? અને સાચી આઈ હોય તો સાવજને જ ગાડામાં ન જોડી દે ! પણ ઈ માતાજી નથી ઈ ચોક્કશ.” સાથીને ભીમાજીની એ અવાવણી હાડોહાડ વ્યાપી ગઇ તેને આઈ ચાંપબાઈની દિવ્ય શક્તિમાં પરમ શ્રદ્ધા હતી. તેને થયું કે આઈ આ ભીમાજીને કંઈક પરચો બતાવે તો સારૂં. એટલે તે બળદ ખરીદવાનું પડતું મૂકીને આઈ – પાસે આવ્યો, અને ભીમાજીની ઉદ્દંડતાની બધી વાત વિગતવાર કરી. એટલે આઈએ ભીમાજીની સાત ઠેકાણે લાવવાનું મનોમન નક્કી કર્યું અને જગદંબા ચામુંડાનું સ્વરૂપ ધારણ કરીને સાથીને કહ્યું કે. ભીમાજીને કહે કે આઈ સાવજને પકડીને ગાડામાં જોડે છે તે જોવા આવી જા ” એમ કહીને પોતે જંગલ તરફ રવાના થયા. અને સાથીને ગામ તરફ રવાના કર્યો તેણે ગામમાં આવીને ભીમાજી તથા ગામવાળાઓને કહ્યું કે ” આઈ ચાપબાઈમા ગાડામાં સાવજને જોડે છે તે જોવા આવવું હોય તો હાલો મારા ભેળા. આ સમાચાર સર્વત્ર પ્રસરતાં ગામ બધું હલકી હાલ્યું, ભીમોજી અને ગામવાળાં સૌ બાઈઓ-ભાઈઓ- બાળક-જીવાને દાદી સૌ આઈના ઉતારા તરફ આવવા લાગ્યાં.

આ બાજુ ચામંડા સ્વરૂપ ધારણ કરેલાં આઈ ચાંપબાઈ સાવજના સગડ લઇને થોડેક છેટે ઝાડીમાં તે સૂતેલ હતો ત્યાં પહોંચ્યા અને તેનો કાન પકડયો, જગાડયો. કાન પકડનારને ભરખી જવા સાવજ ઊભો થવા ગયો ત્યાં જગદબા આઇના હાથનો સ્પર્શ થતાં જ તેના શરીરમાં વીજળીનો પ્રવેશ થવાનો આંચકો લાગ્યો, તે બકરી જેવો ગરીબડો બની ગયો અને આઈએ તેને પાઢયો-દોર્યો તેમ દોરાયો. એવી રીતે તેને દોરીને આઇ તેને પોતાને ઉતારે જયાં સૌ ગામ લોકો હકડે ઠાઠ ભેળું થએલ ત્યાં લાવ્યાં. તેમને એ પ્રમાણે સાવજનો કાન પકડીને દોરીને લાવતાં જોઈને સૌ ભયથી – આશ્ચર્યથી ચક્તિ અવાક થઈ આંખો ફાડી જોઈ રહ્યાં. હાથ જોડી દૂરથી વંદન કરવા લાગ્યાં. સાવજનો કાન પકડીને આવેલાં આઈને જોઈને ભીમાજીના મોતીયા મરી ગયા. તેણે પાઘડી ઉતારી, ધરતી પર મૂકી, દૂરથી આઈને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. અને ગળગળો થઈને બોલ્યો કે “મા! મા! જગદબા ! મેં આપને ઓળખ્યાં નહિ. મારી આભ જેવડી મોટી ભૂલ થઈ. આપ મા છો મને માફ કરો.” તેની આખામાંથી પશ્ચતાપનાં આંસુની ધારાઓ વહેવા લાગી. ત્યાં બળદની રાશનો છેડો લઈને આઈએ સાવજને ગળે બાંધ્યો અને બીજા બળદને ઊભો કરી તેના કાંધ માથે અને સાવજના કાંધ માથે ધોંસર મૂકી જોતર ભીડીને બનેને ગાડામાં જોતર્યા. અને પોતે ગાડા ખેડુના સ્થાને બેસીને બોલ્યાં, “બોલો ભીમાજી! હવે તમારે આઈનાં વિશેષ પારખાં લેવાં છે કે ?” આઈનો પ્રશ્ન સાંભળીને ભીમાજીનું હૈયું ધડકી ઊઠ્યું, તેનો સાદ ફાટી ગયો અને તે જોયો કે “ના ના, માડી ! મારા હજાર ગુના છે તે માફ કરો. માડી ! મારૂ રાંકનુ શું ગજું કે હું આપનું જગદંબાનું પારખું લઉં ? માડી! આપને એક નહિ એકસો બળદ આપીએ પણ આપ કૃપા કરીને આપનું કોપ શમાવો.” એટલે આઈએ સિંહના ગળામાં બાંધેલી રાશ છોડી લઈને તેને છૂટો’ કરી દીધો અને તે છલાંગો મારતો ઝાડીમાં પેસી ગયો. તે પછી સૌ આઈની પાસે આવ્યાં પગમાં પડવા લાગ્યાં અને આઈએ ચામુંડા સ્વરૂપ સંકેલી લીધું. આઈ ચાંપબાઈ રૂપે પ્રગટ થયાં.

બાદ તુરત જ ભીમાજીએ આઈ માટે બળદની સગવડ કરી આપી અને આઈ રવાના થવાની તૈયારીમાં હતાં ત્યાં લોકોએ વિનંતિ કરી કે “મા ! અમને આ સાવજનો બહુ ત્રાસ છે આપ મહા સમર્થ છો. તો એ ત્રાસમાંથી અમને છોડાવો. એનું કંઇક નિવારણ કરવા કૃપા કરો.” એ સાંભળીને આઈએ પોતાની વેલમાં બેસીને આખા ગામની પ્રદક્ષિણા કરી. એ ચીલાથી ગામ ફરતી જગદંબાની આણની રેખા દોરીને કહ્યું કે “હવેથી કોઈ સાવજ કે બીજું કોઈ હિંસક જાનવર માતાજીની આ રેખા ઓળંગીને તમારૂં નુકસાન કરવા નહિ આવી શકે.” આઇનાં એ વચનો મુજબ ત્યાર બાદ ખેડોઈ હમ્મેશા માટે હિંસક પશુઓના ત્રાસથી મુક્ત બની ગયું. એ પ્રસંગની યાદીમાં ખેડોઈ ગામના લોકોએ આઈ ચાંપબાઈ માની દેરી બનાવેલી છે અને ત્યાં આઈની શ્રદ્ધાપૂર્વક પૂજા થયા કરે છે. અને સામે જ સાવજની પ્રતિકૃતિ મૂર્તિ ખડી કરવામાં આવી છે. ગામલોકો તરફથી માતાજીનું પૂજન-ધૂપ-દીપ થાય છે. માનતા નૈવેદ્ય ધરાય છે.

ચારણ આઈ ચાંપબાઈની એ અમર ગાથાનું ગાન કરતો એ કથાને સદાને માટે જીવતી રાખતો સંજીવની મંત્ર જેવો સેંકડો વર્ષ જૂનો દોહો સુપ્રસિદ્ધ છે કે :-

એક હાથે’ બળદીઓ, બીજે હાથે સિંહ;
ચોરાડી ચાંપલ તણી, લોપે ન કોઇ લીહ.

જેમણે એક હાથમાં બળદ અને બીજા હાથ સિંહને દોરીને ગાડામાં જોડયો તે ચોરાડા શાખામાં (ચોરાડાનો પેટાશાખ કવલમાં ) જન્મેલાં આઈ ચાંપબાઈની આજ્ઞાની રેખાને કોઈ લોપી શકે નહિ. એ આજ્ઞા-રેખાનું કે ઈ ઉલ્લંઘન કરી શકે નહિ.

હિંગળાજની યાત્રા કરી આવીને આઈ ચાંપબાઈ પાછાં ટંકારા પધાર્યાં અને ત્યાં પિતૃગૃહે રહીને જીવનભર માતાજીની ભક્તિ કરી, મોટી ઉમ્મરે સ્વધામ પધારેલાં. જાંબૂડામાં તથા ચોરાડા શાખાના ચારણો જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં સર્વત્ર આઈ ચાંપબાઈનાં સ્થાનક છે અને આઈ ચાંપભાઈની ભક્તિ-પૂજાનો ક્રમ અવિરતપણે ચાલે છે. અસ્તુ.

~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

माँ चांपबाई से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति