पूरा नाम | बेचराजी माँ |
---|---|
माता पिता का नाम | बेचराजी माँ के पिता बापल देथा चारण ओर माता देवल आई सिहढायच है, |
जन्म व जन्म स्थान | राजस्थान के मारवाड रियासत मे स्थित माडवा गाँव में चैत्र शुक्ल पूनम के दिन देवीओ बुटभवानी माता, बलाड माता, बेचराजी और बालवी माता ने अवतार धारण किया। |
स्वधामगमन | |
विविध | |
बेचराजी माँ का मंदिर बहुचराजी शहर, जिल्ला महेसाणा गुजरात, भारत में स्थित है। यह अहमदाबाद से 110 किलोमीटर और महेसाणा से 35 कि.मी. की दूरी पर स्थित है। | |
जीवन परिचय | |
આઈ બેચરાજી – આઈ બેચરાજી ઉપર આઈ દેવલ ભલીઆઈના વૃત્તાંતમાં જણાવ્યા મુજબ તેમનાં છ પુત્રીઓ – માંથી પ્રથમનાં ત્રણ પુત્રીઓ (1) બેચરાજી (૨) બૂટજી (બુદ્ધિ બાઈ) તથા (૩) બલ્લાળજી – સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. તેમનાં મંદિરો – દેવસ્થાનો છે અને પૂજાય છે. એ ત્રણે બહેનો એક વખત ચારણ યાત્રીઓના સંઘ સાથે યાત્રા અર્થે ગુજરાતમાં આવેલાં. હાલના મહેસાણા જિલ્લાના શખલપુર ગામ પાસેનો પ્રદેશ તે વખતે ઘાટીઝાડીવાળો – જંગલવાળો હતો. અને બારૈયાઓ, કોળીઓ તેમજ બીજા અનેક લુટારાઓ ત્યાંથી આવતાં જતાં મુસાફરોને લૂટી લેતા. આઈ બેચરાજી તથા તેમના સંઘવાળાઓને એમણે ઘેરી લીધા અને ચારણોએ તેમનેો સામનો કરતાં મોટો ઝગડો થયો. અનેક ચારણો કામ આવ્યા. તે વખતે આઈ બેચરાજી પોતે મોખરે આવ્યાં. યોગાઅગ્નિ પ્રગટાવી લૂંટારાઓને ભસ્મ કર્યા તેવી વાત પ્રસિદ્ધ છે. ત્યારપછી એ પ્રદેશમાંથી લૂંટફાટ મિટાવવા માટે તથા ત્યાંની પ્રજામાં ધર્માચાર ફેલાવવા માટે આઈ બેચરાજીએ ત્યાંજ નિવાસ કર્યો અને પોતાનાં ઈષ્ટદેવી આઈ હિંગળાજની સ્થાપના કરી તેમનું પૂજન ચાલુ કર્યું. તથા ખૂબ પ્રયાસ કરીને લૂંટારાઓને મળીને તેમને સરસ્તે ચડાવ્યા અને સર્વત્ર સુખ શાંતિ અને ધર્મ ભાવના ફેલાવી. તેઓએ આજીવન બ્રહ્મચર્યવ્રત પાળેલું, પરણેલાં નહિ. કાળક્રમે એમનો દેહ વિલય થતાં ત્યાં એમનું સ્થાનક બન્યું અને તેની પ્રતિષ્ઠા ખૂબ ફેલાણી. પાછળથી વડોદરા ગાયકવાડ સરકાર તરફથી આઈ બેચરાજીના સ્થાનકમાં તેમનું મોટું મંદિર બંધાયું છે. અને ધર્મશાળાઓ અને બીજાં મકાનો પણ થયાં છે. આઈ બેચરાજીની જાત્રાએ હજારો માણસો આવે છે, એટલે દુકાનો વગેરે થઈ છે. અને આસપાસ મોટા કરબા જેવું શહેર ગામ વસી ગયું છે. ગુજરાતમાં પૂજાતાં માતાજીઓમાં આઈ- બેચરાજી, અંબાજી, ભદ્રકાળી, આઈ આવડ (આશાપુરા) તથા આઈ ખોડિયારએ પાંચ માતાજીઓનાં ધામો વિશેષ મહત્ત્વનાં મનાય છે. આઈ બેચરાજીના દર્શને દરરોજ સેંકડો હજારો યાત્રાળુઓ આવે છે. દર પૂનમે ત્યાં મોટો મેળો ભરાય છે. ઉપરાંત ત્યાં મોટા યજ્ઞ યાગો અને ચંડીપાઠ વગેરેનાં પુરશ્ચરણો પણ થતાં રહે છે. આઈનું નામ બેચરાજી હોવા છતાં પાછળથી તેમને બહુચરાજી કહેવાની પરિપાટી કેટલાકે ચાલુ કરી અને વલ્લભ મેવાડાએ તેને પોતાના ગરબાઓમાં વણી લીધી, જેમાં તેમને બહુચરી, બહુચર-બાળા વગેરે સંબોધન અપાયાં છે. પણ તેમનું ખરૂં નામ બેચરાજી છે અને બહુચરાજી નહિ. વિશેષમાં બેચરાજી ચારણ પુત્રી હતાં, છતાં તેમના બહુચર નામના સમર્થ કોએ તેમને આદિ શક્તિ તરીકે વર્ણવી તેની ખૂબ પ્રસિદ્ધિ કરીને જન માનસમાં મોટી ભ્રામકતા ઊભી કરી છે. પણ સાચી હકીક્ત ઉપર પ્રમાણે છે. તે સૌ જાણે અને આઈ બેચરાજીને તેમના ખરા બેચરાજીના નામે સંબોધે અને બહુચરાજી એવા ખોટા નામે નહિ, એમ ખાસ વિનંતિ છે. આઈ બેચરાજીના અનેક પરચાઓની વાતો પ્રચલિત છે. આઈના મંદિરની બાજુમાં માન સરોવર નામે કુંડ-તળાવ છે. તેના પાણીમાં સ્નાન કરવાથી નારીમાંથી (સ્ત્રીમાંથી) નર (પુરૂષ) બનવાની તથા ઘોડી- માંથી ઘોડો બની ગયાની વાત લોક જીભે રમતી રહી છે. આઈ બેચરાજીનું વાહન કૂકડો મનાય છે. બેચરાજીના સ્થાનકના કૂકડાઓને મુગલ લશ્કરવાળાઓએ મારી ખાવાથી તેમને પેટદર્દ થઈ અંદરથી કૂકડા બોલવા લાગ્યાની વાર્તા પણ ખૂબ પ્રસિદ્ધ છે. આઈ બેચરાજી અંગે શ્રી નરૂજી કવિયા રચિત ‘જગદ’ બારા પવાડા’ના ચિત્ત ઈલોલ ગીતમાં નીચે મુજબ એક ચરણ છે. મુસલમાનાં પકડ મુરઘા, ખાય ગ્યા હરખાય, આઈ બેચરાજીનાં અનેક કાવ્યો, સ્તુતિઓ, ગરબાઓ જન સમાજમાં ખૂબ ગવાય છે. વલ્લભ મેવાડા નામના કવિએ તેમના ચોકબંધ ગરબાઓમાં આઈ બેચરાજીનાં ગુણગાન ગાયાં છે. ચારણોએ પણ આઈ બેચરાજીનાં ગુણગાન તથા રાસના અનેક છેદો રચ્યા છે. અને નવરાત્રિના ઉત્સવોમાં ગુજરાતમાં ગામોગામ આઈ બેચરાજીના ગરબાઓ, ગવાતા હોય છે. નવરાત્રિ પ્રસંગે ત્યાં મોટા ઉત્સવો યોજાય છે. ધામધૂમ થાય છે. આઈ બેચરાજીના ધામનું ટ્રસ્ટ રજીસ્ટર થએલું છે. ~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक) |
.
माँ बहुचराजी से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-
.