चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ आवड़

माँ आवड़

पूरा नामश्री आवड़ माता
माता पिता का नामइनकी माताजी का नाम (गुजरात में मीणल माता और देवल माता दोनो मिलते हैं,) जबकि राजस्थान में मोहवृति ओर पिता मामडियाजी चारण के घर जन्म
जन्म व जन्म स्थानभगवती श्री आवड़ माता ने वि.स. 808 चैत्र सुदी नवमी मंगलवार के दिन गुजरात के भावनगर जिलें के रोहिशाला गांव में अवतार लिया 
स्वधामगमन
 
विविध
श्री आवड़ माता – वि. संवत 808 मादा शाखा के चारण कुळ में मामडिया चारण के घर सात बहने ओर एक भाई महेरख का जन्म, 1.आवड़, 2.होल, 3.गेल, 4.आई रांगळी (रंगबाई), 5.आई रेपल (रूपबाई), 6.आई सांसई, 7.आई लघुबाई आई (खोडियार – जानबाई) ये सात-बहने।

 जीवन परिचय

આઈ આવડ – આશાપુરા આશાપુરાનો સમય વિક્રમની નવમી તથા દશમી શતાબ્દીનો છે. વલ્લબીના છેલ્લા રાજા શીલાદિત્યનાં તેઓ સમકાલીન હતાં, એમ મનાય છે ચારણ જાતિની માદા શાખા માં એમણે જન્મ લીધેલો. એમના જન્મ વિષે એવી કથા છે કે એમના પિતા મમ્મટ – મુહમડ – મામડ – મામડીયા માદાની પ્રૌઢ વય થયા છતાં એમને કઈ સંતાન થએલ નહિ. એક વખત સવારના પહોરમાં પોતે દાતણ પાણી મુખપ્રક્ષાલન કરીને કંઈ કામે બહાર જતા હતા, ત્યારે ભાટ જાતિની કેટલીક ઉંમર લાયક કન્યાઓ સામે મળી. મામઢીયો ગઢવી નિઃસંતાન હોવાથી એ બહેનોએ વાંઝીયાનું મુખ પ્રભાતને પહોરે જોવાને અપશકુન માનીને પોતાનાં મુખ ફેરવી લીધાં, આડું જોઈ ગઈ. એમણે પોતાની નારાજી – તિરસ્કારને ભાવ વ્યક્ત કર્યો. મામડ ગઢવી જગદંબાના એકનિષ્ઠ ભક્ત હતા. એમની ભક્તિ ઉચ્ચ કોટિની હોવા છતાં એમને વાંઝીયા માનીને એમનું મુખ જોવાને અપશકુન માનવામાં આવ્યું, તેથી એમને ઘણું દુઃખ લાગ્યું’. પોતાના દર્શ’નથી કોઈ અપશકુન માને એવા જીવતર કરતાં પોતે જગદંબાને ખોળે આત્મ સમર્પણ થઈ જાય તે વધારે સારૂં, એવા ભાવ સાથે તેઓ પાછા વળીને ઘરે આવ્યા. અને ઘરમાં માતાજીનું મઢ હતું, તેની સામે પલાસન વાળી, અનશનનું વ્રત લઈ ધ્યાનમાં લાગી ગયા. એક દિવસ બે દિવસ કરતાં સાત દિવસ વીત્યા, પણ પ્રાણ છૂટયા નહિ. એટલે શરીરનો નાશ કરવા માટે તેમણે હાથમાં કટારી લીધી. અને ગળે કટારી પહેરવા તૈયાર થયા. ત્યાં ગૌરી જગદં’બા પ્રગટ થયાં અને તેમનો હાથ પકડી લીધો અને બોલ્યાં કે “બાપ મામડ ! તારા મૃત્યુને હજી વાર છે. તારું વાંઝિયાપણ મટાડવા માટે સાત શક્તિઓના મૂળ રૂપે (મડળ-ઝુમખારૂપે) એક ગણવીરની સાથે હું તારે ઘરે અવતરીશ’. આમ કહીને માતાજી અંતર્ધાન થઈ ગયાં. આ કથા કહેતો એક પુરાણો છપ્પય નીચે મુજબ છે.

મુહમઢ કવિ મુખ મંજ, મળે સામી ભટ તનયા,
વંઝ દોષ મુખ મોડ, કમળ ફેરે તાં કનયા;
સુવ જાય સ્વસ્થાન, લોહ ઘટભંજણ લહીઉં,
આપ રૂપ ઈશ્વરી, ગવરી આવે કર ગ્રહીઉં;
“હ્યું તૂજ ગેહ જનમેશ હવે, સાત સુળ સકતાં સુ મળ,
“આવડા અં’બ ખોડલ અજન, વંઝદોષ ટાળ્યો પ્રબળ.

ઉક્ત વરદાનના પ્રતાપે મામડ માદાને ત્યાં સંવત્ ૮૮૮ના ચૈત્ર સુદ ૯ને શનિવારના રોજ આઈ આવડનો જન્મ થયો અને તે પછી ક્રમોમે બીજાં છ બહેનો મામડ માદાને ત્યાં અવતર્યાં. અને ત્યારબાદ થોડાં વરસે એક પુત્ર નામે મિહિર અથવા મેહરખનો જન્મ થયો. એ સાતે બહેનો આઈઓ માતાજીઓ તરિકે પ્રસિદ્ધ છે. એમનાં નામ (૧) આઈ ઉમ્બઢા અથવા આવડ (૨) આઈ હોલ (હુલી – હુલાસબાઈ) (૩) આઈ ગેલ (ગુલી-ગુલાબબાઈ) (૪) આઈ રાંગળી (રાંગળી-રંગબાઈ) (૫) આઈ રેપલ (રેપળી-રૂપલબાઈ) (૬) આઈ સાસઈ (સાચઈ-સાચબાઈ) અને (૭) આઈ લધ્વી (લઘુબાઈ આઈ ખોડિયાર) એમનેા નેશ સૌરાષ્ટ્રમાં વલ્લભીપુર પાસે રોહીશાળા ગામે હતો. રાજસ્થાનમાં એવી માન્યતા છે કે, જેસલમેર તાબે ચાળક નામના ગામના ઠાકોર ભટ્ટી લાખા સાહેબાના કવિ મામડ માદાને ત્યાં આઈ આવડ વગેરે સાતે બહેનો અને એક ભાઈનો જન્મ થએલ. આ બાબત સંશોધન માગે છે.

એ સાતે બહેનેએ આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરેલું અને પોતાનાં જીવન દરમીઆનજ એ સાતે બહેનો આઇઓ તરિકે પ્રતિષ્ઠા પામેલાં. પરંતુ એ સાતેમાં મોટાં આઈ આવડ અને સૌથી નાનાં આઈ બેડિયાર વધારે તેજસ્વી અને પ્રતાપી હતાં. જનશ્રુતિ કહે છે કે એક દિવસ સાંજને વખતે એમના ભાઈ મિહિરને સર્પદંશ થયો, જે અમૃત ઔષધિ (સંજીવિની ઔષધિ આવે તોજ ભાઈ જીવે અને તે પણ સૂર્ય ઉગ્યા પહેલાં આવે તોજ જીવે, એમ હતું. એટલે આઈ આવડની આજ્ઞાથી સૌથી નાનાં બહેન આઈ બેડિયાર અમૃત ઔષધિ લઈ આવવા ગયાં. તેમને પાછાં આવતાં વાર લાગી અને સૂર્યોદય થવાનો સમય થવાની તૈયારી જણાઈ. બીજાં સૌ ચિતાતુર થઈ ગયાં. પરંતુ આઈ આવડે ધીરજ ધારણ કરી. પાણીની અંજલિ ભરીને સચ્ચિદાનંદમયી મહાશક્તિનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો અને ઘણી ચારણી ચરજોમાં વર્ણન છે તેમ પોતાની લોબડી (લાલ ઊનની-આઈના તપના પ્રતીકરૂપ ધાબળી) સૂર્ય મંડળ પર છાવરી દઈને પોતાના તપોબળના પ્રભાવથી સતી સાંડિલીની જેમ સૂર્ય નારાયણને ઊગતા રોકી રાખ્યા. ત્યાં તો આઈ ખોડિયાર અમૃત ઔષધિ લઈને આવી પહોંચ્યાં, જેના ઉપચારથી ભાઈને જીવનદાન મળ્યું. આ સંજીવિની જનશ્રુતિને સજીવન રાખતો હજાર વર્ષ પહેલાંનો જુનો સોરઠો દોહો આઈ આવડના મહિમાનું ગાન કરતો આજે પણ જીવે છે. તે નીચે મુજબ.

આવડની જે આણ (ઈ) લાજાળુ લોપે નહીં;
ભરે ન ડગલું ભાણુ, કમણેય કશ્યપરાઉ ઉત.

જગદંબા આઈ આવડની આજ્ઞા લાજાળુ એટલે લાજવાળા, મર્યાદાનું પાલન કરનારા સૂર્યદેવ લોપતા નથી. એનું ઉલ્લંધન કરતા નથી. કશ્યપના પુત્ર એ ભાનુદેવ (ભાણ) (એ આજ્ઞા લોપવાનું પગલું કદી પણ ન જ ભરે. ઉપરાંત એજ કથા અંગેનો એક રાજસ્થાની ભાષાનો જુનો દેહો છે કે :-

सो हूं’ बखाणां चारणी, मुरधर देश बचाळ।
सूरज किणी न ढांपियो, हेकण आवड टाळ॥

મરૂધરાનાં અધિષ્ઠાત્રી દેવી એવાં એ ચારણી આઈ આવડની હું સ્તુતિ કરૂં છું (ગુણગાન ગાઉં છું) જેમના એકના વિના સૂરજ નારાયણને કોઈએ ઢાંકેલા નહિ, ઊગતા અટકાવેલા નહિ.

આઈ આવડ ઘણા તેજસ્વી તપસ્વી અને પ્રતાપી હતાં. સાથે સાથે ખૂબ સ્વરૂપવાન-દેદીપ્યમાન હતાં. સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ રાજસ્થાન સિંધ પંજાબ સુધી એમનો પ્રભાવ, એમની કીર્તિ વિસ્તરેલાં. સિંધમાં એ સમયે હમીર સુમરા નામને રાજા રાજય કરતો હતો. અરબસ્તાનમાંથી મહમદ કાસમે સિંધ પર ચડાઈ કરી તે પ્રદેશ જીતી લીધો, તે પછીના સમયમાં એ હમીર સુમરાએ ઈસ્લામ ધર્મ સ્વીકારીને ઉંમર નામ ધારણ કરેલું. એ ઘણો ધર્માંધ અને જુલ્મી શાસક હતો. પોતાની હિંદુ પ્રજા પર ખૂબ અત્યાચાર કરતો, તેથી પ્રજા ત્રાસી ગએલી. સિંધમાં વસતા ચારણો તેની વિરૂદ્ધમાં પ્રજામત કેળવી સામનો કરવાના છે, એવું તેના જાણવામાં આવતાં તેણે આગેવાન ચારણોને પકડીને પૂરી દીધા. એટલે કેટલાક ચારણો ભાગીને એ વખતનાં મહાપ્રતાપી આઈ આવડને શરણે ગયા. અને પોતાનાં તથા પ્રજાનાં દુ:ખોની જુલ્મ કથા – આઈને કહી. તેમની વિનંતિ સાંભળીને આઈ આવડે ચારણોના મોટા સમુહ સાથે સિંધ તરફ પ્રયાણ કર્યું. પણ વચમાં કચ્છનું હાલનું રણ તે સમયનો હાકડો સમુદ્ર આવ્યો. એટલે જનશ્રુતિ કહે છે કે આઈ આવડે તે સમુદ્રમાંથી એક અંજલિ પાણી પીને અગસ્ત્ય ઋષિએ જેમ સમુદ્રને શોષી લીધેલા તેમ (આઈએ) હાકડાને શોષી લીધા, એ સમુદ્ર મટીને ખારો પાટ (હાલનું કચ્છ અને સિંધ વચ્ચેનું મોટું રણ) બની ગયો. એ રણ ઓળંગીને આઈ આવડ પોતાના સર્વ” સાથે સાથે સિંધ પધાર્યા’ અને હમીર (ઉંમર) સુમરાને મળીને તેને સામ ઉપયોથી સમજાવવાના ખૂબ પ્રયત્ન-પ્રયાસ કરી જોયા. પણ ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ,” એ ન્યાયે તે સમજ્યો નહિ. ‘સમજાવ્યો સમજયો નહી”, ઉલટી મતિ અસુરાણ’, એ ન સમજ્યો તેથીએ વિશેષ એ દૃષ્ટને આઈના દૈદીપ્યમાન રૂપનું કામણ લાગ્યું, અને સાથે સાથે ભય પણ લાગ્યો કે આઈના જાજવલ્યમાન વ્યક્તિત્વથી દોરવાઈને પ્રજા ફરી બેસશે, બળવો કરશે. એટલે પોતાના રાજવૈભવની જાળમાં આઈને ફસાવવાનું અને ન ફસાય તો પકઢીને જુલ્મ કરવાનું તેણે નક્કી કયું”, દરમિઆન પોતાના આગે – વાનોને છોડાવવા માટે ચારણોએ ધરણુ કર્યું. ઉમ્મરના દરબારગઢ સામે ઉપવાસ પર ઊતર્યા. પોતાની ધાક બેસાડવા માટે ઉમ્મરે તેમને પકડાવીને કેટલાંકને જીવતા બાળી મૂકવા, એટલે તેમની પાછળ તેમની પત્ની ઓએ જમહર કર્યું-સામુહિક ચિતામાં અગ્નિ સ્નાન કર્યું. ઉપરાંત ઉમ્મરે ચારણોનાં નેશઠાં તારાજ કર્યો. લૂંટાવ્યાં, જુલ્મ કર્યા. આઈ આવડ આ જુલ્મનો સામનો કરી હમીરનું શાસન ઉઠાડી મૂકવાની તૈયારી કરવા લાગ્યાં. એટલે ઉમ્મરે તેમને તથા તેમના સાથવાળા સૌને પકડી લેવા માટે લશ્કર મોકલ્યું. પણ આઈ આવડ ઉમ્મરની દુષ્ટ ભાવના અને પ્રવૃત્તિને જાણી ગએલાં, એટલે લશ્કર આવી પહોંચે તે પહેલાં તેઓ પોતાના સાથવાળાઓ સાથે રાતોરાત રવાના થઈને જેસલમેરના માડ પ્રદેશના ડુંગરાઓ તરફ પ્રસ્થાન કરી ગએલા. ઉમ્મરના માણસોએ દેડાદોડી કરી, પણ આઈને પકડી શકયા નહિ. એ વખતે જેસલમેર વસેલું નહિ. તણોટ અને વિજણેોટમાં ભાટીઓનાં નાનાં નાનાં રાજય હતાં. તે વખતે એ પ્રદેશમાં એક દુષ્ટ લૂંટારો, જે તેમાડા રાક્ષસના નામથી ઓળખાતો અને મોટો હિંસક હતો તેણે હજારોને લૂંટીને મોતને ઘાટે ઉતારેલાં, તેનો જબરો ત્રાસ હતો. એ તેમડો એક ડુંગરની અંદર ગુફામહેલ બનાવીને તેમાં રહેતો હતો. આઈ આવડને તેની દુષ્ટ પ્રવૃત્તિઓની જાણું થતાં તેના પર આક્રમણ કરીને તેને મારી નાખ્યો. અને એના ગુફા મહેલમાં પોતાના સાથવાળાઓને સુરક્ષિત રીતે વસાવ્યા અને પછી ઉમ્મર સુમરાને ઉત્થાપવા માટે પંજાબમાં વસ્તા સમાઓનો સાથ મેળવવા અર્થે પંજાબ તરફ પ્રયાણ કર્યું”. એ વખતે પંજાબના સમાસટ્ટા નામના પ્રદેશમાં હાલના પતિયાળાની આસપાસના પ્રદેશમાં ગાંધાર પ્રદેશ (અફઘાનીસ્તાનના કંદહાર) માંથી ઊતરી આવેલા સમા રાજપૂતાની ઠકરાતો હતી. તેમાં એમનો મુખ્ય આગેવાન લાખીઆર જામ નામનો હતો, જે ઘણો મહાત્વાકાંક્ષી વીર પુરૂષ હતો. તણોટ વિજણોટના ભાટીઓનાં ઠેકાણા લઈ લેવાની તે તૈયારીઓ કરતો હતો. પોતાની સ્થિતિ મજબૂત બનાવીને અંધાધૂંધીને લાભ લઈને સિંધ કબજે કરવાનો મનસૂબો પણ તે સેવતો હતો, પણ ઉમ્મર સૂમરાની વિશાળ સત્તા પર આક્રમણ કરી શકે તેવાં સાધન સામગ્રી અને સૈન્ય બળ તેની પાસે ન હતાં.

આઈ આવડની કીર્તિ સાંભળીને તેને આઈ તરફ ઘણો પૂજય ભાવ થએલો. બીજી બાજુ તણોટ વિજણોટના ભાટીઓ પણ આઈના ભક્ત હતા. એટલે આઈએ સમાઓના જામ (આગેવાન) લાખિઆર તથા તણોટ વિજણોટના ભાટીઓના રાજા મહારાવળ વિજયરાજ વચ્ચે સમાધાન કરાવ્યું. અને લાખિઆર જામને કહ્યું કે “તારી ઈચ્છા રાજયનો વિકાસ-વિસ્તાર કરવાની છે. તો નું તૈયાર થા. હું તારી આશા પૂરી કરવા આવી છું. મારી સાથે ચાલ. હું તને સિંધ અપાવું.” લાખિઆરે કહ્યું કે “માતાજી ! મારી સેના નાની છે. અને ઉમર પાસે તો મોટી વિશાળ ફોજ છે. એટલે મારે વિજય કેવી રીતે થશે ? ” આઈએ કહ્યું કે “તુ જરા પણ ચિંતા કરીશ નહિ. માતાજી જગદંબા તારી ભેરે રહેવાનાં છે. અને હું પોતે બીજા’ માતાજીએઓ સાથે તારી સેનાની હરોળમાં (અગ્રભાગે) રહેવાની છું. તું તો નિમિત્તે છો. બાકી યુદ્ધ તો મારેજ કરવાનું છે.” એ સાંભળીને લાખીઆર આઈના પગમાં પઢી ગયો. પગ પકડી લીધા. પછી તેણે ઊભો થઈ તરવાર કાઢીને ઊંચી કરી ચક્રાકારે ઘુમાવી અને “આઈ આવડની જય માં આશાપુરાની જય” નો જયોષ ગાવ્યો. એ સમયથી સમાઓની સેનાનો જ્યઘોષ “જય આઈ આવડ જય આશાપુરા” નો બન્યો.

બાદ જામ લાબિઆરે પોતાની સેના તૈયાર કરી, આઈની આજ્ઞાથી ભાટીઓએ પણ પોતાની સેનાઓ તેની મદદમાં મોકલી. અને આઈની આજ્ઞા થવાથી હજારો ચારણો એ સેનામાં જોડાયા, અને સિંધ પર ચડાઈ થઈ. સિંધની પ્રજા ઉમ્મરની ધર્માંધતા અને જુલ્મથી ત્રાસી ગઈ હતી. તેના આગેવાનો પણ આઈને મળ્યા અને આઈની પ્રેરણા અને સલાહ મુજબ પ્રજાએ ઉમ્મર સામે બળવો પોકાર્યો. હજારો સિંધી – બળવા ખોરો લાખિઆરની ફોજમાં ભરતી થયા. તે પછી આઈની આગેવાની નીચે ત્રણ મોટાં યુદ્ધ થયાં, જેમાં દરેક વખતે લાખિઆરનો વિજય થયો. ઉમ્મર હાર્યો. મરાયો અને લાખિઆરે સામોઈ – નગર- ઠઠ્ઠા વસાવીને ત્યાં રાજધાની સ્થાપી.
સુમરાઓના ઉત્થાપન અંગેનો એક સિંધી ભાષાનો જુનો દોહો છે કે :-

જિન્નાં જૂહર બાળેઆ, ચઢ ચૂં થેઆ ચકાર,
રાજ ન કીના સૂમરાં, તિન્નાં દે પરવાર,

જેમણે ધરણામાં બેઠેલા ચારણો પર અત્યાચાર કર્યાં, જૌહર – જમ્હર બાળ્યાં અને ચારણોનાં મુવાડાં – નેસડાં ચૂંથ્યાં – લૂટ્યાં તે સૂમરાઓ રાજ્યનો ભોગવટો ન કરી શક્યા, તેમનું રાજ્ય ન રહ્યું. સિંધ ધરતીએ અને આઈ આવડે તેમને જાકારો આપ્યો. તેમનો નાશ કર્યો.

આઈ આવડે સિંધ વિજય કરાવી ત્યાંનું રાજ્ય સમાઓને અપાવ્યું તેમની આશા પૂરી કરી એટલે તે સમયથી સમાઓએ આઈ આવડને પોતાનાં કુળદેવી સ્થાપ્યાં, અને સિંધ વિજયની તેમની આશા પૂરી કરનારાં આઈ આવડને તેએાએ “આઈ આશાપુરા” માન્યાં, અને એ નામથી આઈ આવડ સમાઓનાં અને તેમના વંશજ જાડેજાઓ નાં કુળદેવી તરીકે પૂજાય છે. કચ્છમાં, હાલારમાં જ્યાં જ્યાં જાડેજાઓનાં રાજય હતાં ત્યાં આઈ આવડ – આશાપુરાની સ્થાપના છે. તેમનાં ભવ્ય મંદિરો છે. એ મંદિરોને ગામગરાસ અપાએલ છે. એ પરંપરા ચાલુ છે.

આઈ આવડે અનેક મુશ્કેલીઓનો સામનો કરી વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને અન્યાયી જુલ્મી શાસનને હટાવવાની જે ઉમદા કામગરી કરી, તેનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી, સિંધ વિજય બાદ જામ લખિઆરના અત્યાગ્રહને માન આપીને આઈ આવડ ઘણો સમય સિંધમાં બિરાજેલાં, દરમીઆન એમના એકનિષ્ઠ ભક્ત સેવક જગડૂશા નામના વણિક શેઠનું કિમતી વસ્તુઓથી ભરેલું, વમળમાં અટવાઈને સમુદ્રમાં ડૂબતું વહાણ આઈ આવડે તાર્યું હતું. જનશ્રુતિ કહે છે કે એક વખત આઈ આવડ પોતાના નેશમાં ગાય દોહતાં હતાં, ત્યાં વહાણની ખેપે ગયેલા જગડૂાના આર્તનાદની પ્રાર્થના સાંભળ:ણી કે “મા આવડજી ! હવે તો આપજ સહાય કરો તોજ અમારો ઉદ્ધાર છે. મારૂં વહાણ દરિયામાં વમળમાં છે. ડૂબવાની તૈયારીમાં છે. હું અને મારૂં સર્વસ્વ વહાણ સાથેજ ડૂબીએ છીએ. આપ તારે તે જ તરીએ.” એ સાંભળીને આઈએ પોતાના જમણા હાથે ગાય દોહવાનું ચાલુ રાખ્યું અને ડાબો હાથ લંબાવીને જગડુશાના વહાણને વમળના તોફાનમાંથી બહાર કાઢીને શાંત સમુદ્રમાં તરતું મૂક્યું અને સહિ- સલામત બંદરે પહોંચાડ્યું.

સિંધમાં કેટલોક સમય રહ્યા બાદ ભાટીઓના ભકિત ભાવ અને વિનયી વર્તાવ તથા ખૂબ આગ્રહને કારણે આઈ જેસલમેરના માડ પ્રદેશમાં પધાર્યા અને ત્યાં તેમડા ડુંગર પાસે નેશ બાંધીને રહેતાં હતાં. જીવનભર ત્યાંજ કાયમ નિવાસ સ્થાન રાખ્યું.

આઈ આવડે પિષમ પરિસ્થિતિઓ પર વિજય મેળવીને પ્રજાના દુ:ખનું નિવારણ કર્યું, તેથી આઈની ક્રીતિ અને તેમની દૈવી પ્રતિભાની સુગંધ સર્વત્ર પ્રસરી ગઈ. ચારણ જાતિની પ્રતિષ્ઠા આઈના પ્રતાપે ખૂબ વૃદ્ધિ પામી. ચારણ જાતિના ઈતિહાસમાં એ સુવર્ણ કાળ હતો, એમ કહી શકાય. સૌરાષ્ટ્ર, ગુજરાત કચ્છ, સિંધ, પંજાબ અને રાજસ્થાનના શાસકો આઈ આવડના ભક્તો હતા. આઈ આવડની આણુ- આજ્ઞા સૌ પાળતા. પ્રજા એમને સાક્ષાત્ જગદંબા માનતી. પોતાનાં ઈષ્ટ દેવી માનીને પૂજતી. અને જ્યાં કયાંય અન્યાય-અનીતિ માથું ઊંચકે ત્યાંના લોકો આઈ આવડ પાસે પહોંચી જતા અને આઈ આવડ તુરતજ એ અન્યાય અનીતિનું નિવારણ કરતાં અને તે માટે જોખમ ખેડવામાં ન અચકાતાં. દીન દુ:ખીયાં અને સંતાપિતોને માટે એ પરમ વિશ્વસનીય વિશ્રામ સ્થાન હતાં. એમનું સેવાકાર્ય જીવન ભર ચાલુ રહેલું. એમનું હૃદય પુષ્પ કોમળ હતું પણ એમનું મનોબળ વજ્ર સમાન દૃઢ અને હિમાલય સમાન અડગ હતું.

એમની પ્રતિભાની અસર ક્ષત્રિયો પર-રાજપૂતો પર સવિશેષ પડેલી. ચારણો અને રાજપૂતો વચ્ચે ચાલ્યો આવતો સનાતન નાતો આઈ આવડના સમયમાં વિશેષ દૃઢ બન્યો. રાજપૂતો ચારણોને વિશેષ મમતા અને પૂજ્ય ભાવથી સન્માનવા લાગ્યા. સારાએ રાજસ્થાનમાં “આઈ આવડની જય” ગુંજતી રહેતી. આઈ પોતે મોટાં રાજ્યોનાં થાપ-ઉથાપ અને દૈવી શક્તિવાળાં હોવા છતાં એમણે સંપત્તિને, ગામ ગરાસનો, આધિપત્યનો સત્તાનો કોઈ લોભ રાખેલ નહિ. તેમનું જીવન ઘણું સાદું, સરળ હતું. ઘરનાં નાનાં મોટાં કામ પોતે જાતે કરી લેતાં. પરમતત્ત્વમયી સય્યિદાનંદમથી મહાશક્તિનાં પોતે ઉપાસક હતાં. સાથે સાથે મહાન કમ યોગીના જેવું એમનું જીવન હતું. સંપમ, શીલ, અભય, ત્યાગ, બલિદાન અને નિ:સ્પૃહી જીવનનો મહાન વારસો ચારણ જાતિને એ આપી ગયાં છે. પોતે ૧૦૦ વરસ ઊપરનું લાંબું આયુષ્ય ભોગવેલું.

આઈ આવડની અનેક-સેકડો સ્તુતિઓ, પ્રાર્થનાઓ, ગીતો, ચરજો, પદો, છંદો, દોહા રચાણા છે અને રચાતા રહે છે. એમાંથી એક નમુનો અહિં નીચે આપવામાં આવે છે.

શ્રી નરૂજી અલુજી કવિયા નામના ચારણ કવિએ સં. ૧૯૯૦માં દશ ચારણ આઈઓના-જગદંબાના પવાડાઓનું ચરિત્રાત્મક પરચા વગેરેનું એક મોટું ૮૯ દુહાલાઓનું ચિત્ત ઇલોલ ગીત રાજસ્થાની ભાષામાં બનાવેલું અને તે સં. ૧૯૯૦ના આસો સુદ ૧ ના રોજ દેશણોક-આઈશ્રી કરણીજીના મંદિરની વહીમાં લખીને રજીસ્ટર કર્યું છે એ ગીતના પહેલા આઠ દુહાલા આઈ આવડના ચરિત્ર અંગેના છે, તે અત્રે પ્રસ્તુત છે.

આઈ આવડના પવાડા
ઉમારૂપ અનુપ અવની, આવડા લખિ આદિ,
બરણ ચારણ જનમી બાઢી, આપ કીર્તિ અનાદિ-
તો અન્નાદિજી અન્નાદિ અંબા અવતરી અન્નાદિ-૧

(તા) ધન્ય જૈસલમેર ધરતી. ગ્રામ ચાલક ગણ્ય,
સાહેબા લખતણો સૂરજ, મામડા કવિ મન્ય-
તો ધન્યજી હો ધન્ય, ધારી દેહ ઉણ ઘર ધન્ય–૨

શક અઠયાસી આઠસે સુદિ ચૈત્ર માસ સુચારૂ,
નમૂ શુભ દિન તિથિ નૌમી, વરતીયો શનિવાર-
તેં અવતારજી અવતાર આવડ ઈશ્વરી અવતાર—૩

લાંગલા પર આદિ લેકર, સગત બહેનાં સાત,
લોક પરથમ જનમ લીધો, મામડા ઘર માત-
તો વિખ્યાતજી વિખ્યાત, વસુધા કીરતી વિખ્યાત ૪

તેમડ ખળ માર ત્રિપુરા, જીત અસુરાં જંગ,
થિરૂ પરબત માંહિ થાપ્યો, માત દુરગા મંઢ-
તો નવખંડજી નવખંડ, નામી આસતી નવખંડ–૫

સિંધ જાતાં આપ સકતી, હાકડો મેહરાણ,
ચળૂ હેકણ ઘાલ ચંડી, શોષીઓ સુરત્રાણ-
તો અપ્રમાણજી અપ્રમાણ, પી ગ્યા આપ જલ અપ્રમાણ-૬

પીવણે અહિ ભ્રાત પીધો, કરી અદ્ભુત કથ્થ,
અમર લોકાં (સુ) આણ અમૃત, રોઢીઓ રવિ રથ્થ-
તો સમરથ્થજી સમરથ્થ, સહોદર જીવાડયો સમરથ્થ—૭

આવડારો સુજશ અવની, વિ-લંબ હૈ વિસ્તાર,
પાત મુણિયા કથા પરચા, સહજ જુગત્યાં સાર-
તો સાધારજી સાધાર, સગતી સેવગાં સાધાર-૮

~सन्दर्भ – मातृ दर्शन (पिंगलशीभाई पी. पायक)

.

श्री आवड़ माँ से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

  • जोगमाया रो जस – गिरधरदान रतनू “दासोड़ी”
  • श्री आवड़ माँ रो छंद- रचना- राजेन्द्रदान विठू (कवि राजन) झणकली
  • माँ घन्टीयाली (आवड) के चमत्कार
  • श्री आवड़ माता द्वारा हाकरा दरियाव (नदी) का शोषण करना – डॉ. नरेन्द्रसिंह आढ़ा (झांकर)
  • आवड़ाष्टक – गिरधरदान रतनू “दासोड़ी”
    मनरंगथली मझ मात रमें –
  • छंद : रोमकंद

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति